ગરબાડા તાલુકામાં ONGCએ ટીબીના 239 દર્દીઓને પોષણ કીટ આપી:પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિતરણ કરાયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું છે. ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડામાં 36, જાંબુવામાં 33, ઝરીબુઝર્ગમાં 26, ગાંગરડીમાં 24, પાટીયામાં 38 અને અભલોડમાં 50 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 239 ટીબીના દર્દીઓને આ કીટનો લાભ મળ્યો છે. પોષણ કીટમાં ચોખા, તુવર દાળ, તેલ, ઘઉંનો લોટ, પ્રોટીન પાવડર, મગ, મગની દાળ, ગોળ, ખજૂર અને ચણા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કીટનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. આ કાર્યક્રમમાં ONGCના HR મેનેજર અરુણ પ્રભાત, કંપનીના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. હર્ષ ભૂરા (પાંચવાડા), ડૉ. રૂમિકા પંચાલ (જાંબુવા), ડૉ. ભાર્ગવ રોઝ (ઝરીબુઝર્ગ), ડૉ. દુર્ગા બસમિત (પાટીયા), તાલુકા ટીબી સુપરવાઈઝર ભાવેશ નિનામા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આશા બહેનો અને ટીબીના દર્દીઓ હાજર રહ્યા હતા.

Aug 6, 2025 - 14:39
 0
ગરબાડા તાલુકામાં ONGCએ ટીબીના 239 દર્દીઓને પોષણ કીટ આપી:પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિતરણ કરાયું
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું છે. ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડામાં 36, જાંબુવામાં 33, ઝરીબુઝર્ગમાં 26, ગાંગરડીમાં 24, પાટીયામાં 38 અને અભલોડમાં 50 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 239 ટીબીના દર્દીઓને આ કીટનો લાભ મળ્યો છે. પોષણ કીટમાં ચોખા, તુવર દાળ, તેલ, ઘઉંનો લોટ, પ્રોટીન પાવડર, મગ, મગની દાળ, ગોળ, ખજૂર અને ચણા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કીટનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવાનો છે, જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે. આ કાર્યક્રમમાં ONGCના HR મેનેજર અરુણ પ્રભાત, કંપનીના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. હર્ષ ભૂરા (પાંચવાડા), ડૉ. રૂમિકા પંચાલ (જાંબુવા), ડૉ. ભાર્ગવ રોઝ (ઝરીબુઝર્ગ), ડૉ. દુર્ગા બસમિત (પાટીયા), તાલુકા ટીબી સુપરવાઈઝર ભાવેશ નિનામા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આશા બહેનો અને ટીબીના દર્દીઓ હાજર રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow