30 વર્ષ બાદ નિવૃત્ત જજને મોટી રાહત:પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટે લાંચ કેસમાં પૂરાવાના અભાવે નિર્દોષ છોડ્યા, કેસ ટ્રેપ હોવાનું તારણ

પાટણ જિલ્લાની સમી-હારીજ તાલુકા કોર્ટના પૂર્વ અને હવે નિવૃત્ત 75 વર્ષીય મેજિસ્ટ્રેટ વાય.એસ. બારોટને મોટી રાહત મળી છે. તેમની સામેના લાંચ રૂશ્વતના આરોપમાંથી 30 વર્ષ 6 માસ અને પાંચ દિવસ સુધી લાંબી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ આખરે મુક્તિ મળી છે. પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પૂરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એસીબીની ટ્રેપનો બનાવ 5 જુલાઈ 1994ના રોજ બન્યો હતો. તેની ફરિયાદ 18 જાન્યુઆરી 1995ના રોજ નોંધાઈ હતી. આરોપી જજ સામે 15 ઓક્ટોબર 2024ના રોજ તહોમતનામું ફરમાવાયું હતું. કોર્ટે 2 જુલાઈ 2019થી પુરાવો લેવાનું શરૂ કર્યું હતું અને 5 ઓગસ્ટ 2025ના રોજ 80 પાનાના ચુકાદા દ્વારા જજને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટે જણાવ્યું હતું કે, જજે લીલાધરભાઈ સોનીના તેમની કોર્ટમાં ચાલતા કેસો અને દાવાઓની પતાવટ માટે લાંચ પેટે ગુરૂના નંગની સોનાની વીંટી અને સોનાની બુટ્ટીની માંગણી કરી હતી. સોનાની બુટ્ટીના બદલામાં રૂપિયા એક હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોર્ટે વધુમાં જણાવ્યું કે ફરિયાદ પક્ષ આ આરોપો વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં સફળ રહ્યો નથી. ટ્રેપ દરમ્યાન સાક્ષી લીલાધરભાઈ અને પંચ આરોપીના મકાનમાં પ્રવેશ કર્યો ત્યારે આરોપીએ લાંચ હેતુલક્ષી વાતચીત કરી માંગણી કરેલ હોવાનું પણ ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નથી. કોર્ટે નિર્ણય આપ્યો કે સોનાની ગુરૂના નંગવાળી વીંટી અને રૂપિયા એક હજાર રોકડા આરોપી પાસેથી કબજે થયેલ હોવાનું પણ વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો છે.

Aug 7, 2025 - 11:45
 0
30 વર્ષ બાદ નિવૃત્ત જજને મોટી રાહત:પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટે લાંચ કેસમાં પૂરાવાના અભાવે નિર્દોષ છોડ્યા, કેસ ટ્રેપ હોવાનું તારણ
પાટણ જિલ્લાની સમી-હારીજ તાલુકા કોર્ટના પૂર્વ અને હવે નિવૃત્ત 75 વર્ષીય મેજિસ્ટ્રેટ વાય.એસ. બારોટને મોટી રાહત મળી છે. તેમની સામેના લાંચ રૂશ્વતના આરોપમાંથી 30 વર્ષ 6 માસ અને પાંચ દિવસ સુધી લાંબી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ આખરે મુક્તિ મળી છે. પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પૂરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એસીબીની ટ્રેપનો બનાવ 5 જુલાઈ 1994ના રોજ બન્યો હતો. તેની ફરિયાદ 18 જાન્યુઆરી 1995ના રોજ નોંધાઈ હતી. આરોપી જજ સામે 15 ઓક્ટોબર 2024ના રોજ તહોમતનામું ફરમાવાયું હતું. કોર્ટે 2 જુલાઈ 2019થી પુરાવો લેવાનું શરૂ કર્યું હતું અને 5 ઓગસ્ટ 2025ના રોજ 80 પાનાના ચુકાદા દ્વારા જજને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટે જણાવ્યું હતું કે, જજે લીલાધરભાઈ સોનીના તેમની કોર્ટમાં ચાલતા કેસો અને દાવાઓની પતાવટ માટે લાંચ પેટે ગુરૂના નંગની સોનાની વીંટી અને સોનાની બુટ્ટીની માંગણી કરી હતી. સોનાની બુટ્ટીના બદલામાં રૂપિયા એક હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોર્ટે વધુમાં જણાવ્યું કે ફરિયાદ પક્ષ આ આરોપો વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં સફળ રહ્યો નથી. ટ્રેપ દરમ્યાન સાક્ષી લીલાધરભાઈ અને પંચ આરોપીના મકાનમાં પ્રવેશ કર્યો ત્યારે આરોપીએ લાંચ હેતુલક્ષી વાતચીત કરી માંગણી કરેલ હોવાનું પણ ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નથી. કોર્ટે નિર્ણય આપ્યો કે સોનાની ગુરૂના નંગવાળી વીંટી અને રૂપિયા એક હજાર રોકડા આરોપી પાસેથી કબજે થયેલ હોવાનું પણ વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow