કોંગ્રેસ સાંસદ સુધાએ કહ્યું-દિલ્હીમાં હવે સાંસદો પણ સુરક્ષિત નથી:અમિત શાહને લખ્યો પત્ર, લોકસભામાં વિપક્ષનો હોબાળો; રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

સોમવારે સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. બંને ગૃહોમાં સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બિહાર વોટર લિસ્ટ રિવિઝન (SIR)ના મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે હોબાળો શરૂ કરી દીધો. આ કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તમિલનાડુના કોંગ્રેસ સાંસદ એમ સુધાએ કહ્યું- દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નથી રાજધાની દિલ્હીમાં હવે નેતાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સોમવારે સવારે દિલ્હીના ચાણક્યપુરીમાંથી સોનાની ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. હેરાન કરનારી વાત એ છે કે સંસદ ભવનથી થોડે દૂર મહિલા સાંસદ આર સુધા સાથે ચેઈન સ્નેચિંગની આ ઘટના બની હતી. તમિલનાડુના મયિલાદુથુરાઈના કોંગ્રેસ સાંસદ એમ સુધા એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે. આજે સવારે 6 વાગ્યે, તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, રસ્તા પર બાઇક સવાર એક બદમાશે તેમના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને ભાગી ગયો હતો. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાંસદ આર. સુધાએ અમિત શાહને લખ્યો પત્ર તમિલનાડુના મયિલાદુથુરાઈ લોકસભા મતવિસ્તારના સાંસદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં પોલેન્ડ દૂતાવાસ પાસે તેમની સોનાની ચેઈનની લુંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં તેમને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. મહિલા સાંસદે ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે કે તેઓ ગુનેગારની ધરપકડ કરવા અધિકારીઓને નિર્દેશ આપે. દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા 'X' પર સરકાર પર પ્રહારો કર્યા અને લખ્યું કે દિલ્હીમાં આ કોઈ નવી ઘટના નથી. આ રોજિંદી ઘટના છે. દિલ્હીમાં ચેન અને મોબાઈલ લુંટની ઘટનાઓ એટલી સામાન્ય બની ગઈ છે કે લોકો FIR નોંધાવવામાં પણ ખચકાય છે. લોકો જાણે છે કે કંઈ થવાનું નથી. દિલ્હી પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે દિલ્હી પોલીસે જણાવ્યું કે, આજે સવારે 6 વાગ્યે કોંગ્રેસના મહિલા સાંસદ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમના ગળામાંથી સોનાની ચેનની લુંટ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે મામલે ફરિયાદ નોંધી છે. આરોપીઓને ઝડપી લેવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સરકાર સોમવારે લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદો (સુધારા) બિલ, 2025 રજૂ કરવાના છે. બંને બિલો પર એકસાથે ચર્ચા કરવામાં આવશે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલનો ઉદ્દેશ્ય રમતગમત સંગઠનોના કાર્યમાં સુધારો કરવાનો અને પારદર્શિતા વધારવાનો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે, ચોમાસુ સત્રમાં અત્યાર સુધી ફક્ત 2 દિવસ જ કામ થયું છે. આ બે દિવસમાં પણ બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ 13 ઓગસ્ટથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના માટે લંબાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. તેને 30 જુલાઈના રોજ લોકસભાએ મંજૂરી આપી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે કુલ 32 દિવસ. આ દરમિયાન, 18 બેઠકો યોજાશે અને 15થી વધુ બિલ રજૂ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે, 13-14 ઓગસ્ટે સંસદની કોઈ કાર્યવાહી થશે નહીં. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરશે, જ્યારે 7 પેન્ડિંગ બિલો પર ચર્ચા થશે. આમાં મણિપુર GST સુધારા બિલ 2025, આવકવેરા બિલ, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ જેવા બિલોનો સમાવેશ થાય છે. નવા આવકવેરા બિલ પર રચાયેલી સંસદીય સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિએ 285 સૂચનો આપ્યા છે. 622 પાનાનું આ બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961ને રિપ્લેસ કરશે. ચોમાસુ સત્રના છેલ્લા 10 દિવસમાં 8 દિવસ કોઈ કામ થયું નહીં 1 ઓગસ્ટ: સાંસદોને રોકવા માટે રાજ્યસભામાં કમાન્ડો બોલાવાયા, રિજિજુએ કહ્યું- વિપક્ષના કેટલાક સભ્યો આક્રમક બન્યા હતા સંસદના ચોમાસુ સત્રના 10મા દિવસે, વિપક્ષે મતદાર ચકાસણીના મુદ્દા પર હોબાળો મચાવ્યો. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં સભ્યોને રોકવા માટે કમાન્ડો બોલાવવામાં આવ્યા હતા. લોકશાહીના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે. કોંગ્રેસના આ આરોપ પર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે મને મળેલી માહિતી મુજબ, હોબાળો કરતી વખતે કેટલાક સભ્યો આક્રમક બની ગયા હતા. તેમને ફક્ત રોકવામાં આવ્યા હતા. 31 જુલાઈ- પ્રિયંકાએ કહ્યું- મોદી મિત્રો બનાવે છે, બદલામાં આપણને શું મળ્યું: પીએમએ ટેરિફ મુદ્દે જવાબ આપવો જોઈએ; બિહાર વોટર વેરિફિકેશન મામલે ગૃહમાં હોબાળો સંસદના ચોમાસુ સત્રના 9મા દિવસે, વિપક્ષે બિહાર વોટર વેરિફિકેશન અને યુએસ ટેરિફના મુદ્દા પર હોબાળો મચાવ્યો. લોકસભા અને રાજ્યસભા 3-3 વખત સ્થગિત કરવામાં આવી હતી. ખરેખરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ અંગે વિપક્ષે ગૃહ અને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. 30 જુલાઈ- નડ્ડાએ કહ્યું- 2014 પહેલા બધે બોમ્બ વિસ્ફોટ થતા હતા, યુપીએ સરકાર પાકિસ્તાનને મીઠાઈ ખવડાવતી રહી સંસદમાં ચોમાસુ સત્રના 8મા દિવસે, સતત ત્રીજા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કહ્યું કે 2014 પહેલા દરેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા હતા, પરંતુ યુપીએ સરકાર પાકિસ્તાનીઓને મીઠાઈ ખવડાવતી રહી. 29 જુલાઈ - મોદીએ કહ્યું - દુનિયાના કોઈ નેતાએ યુદ્ધ અટકાવ્યું નથી, રાહુલે કહ્યું- હિંમત હોય, તો PM કહે કે ટ્રમ્પ ખોટા છે ચોમાસુ સત્રના 7મા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનું નામ લીધા વિના લોકસભામાં પોતાના એક કલાક અને 40 મિનિટના ભાષણમાં કહ્યું, 'ઓપરેશન સિંદૂર દરમિયાન, વિશ્વના કોઈપણ દેશે ભારતને પોતાની સુરક્ષામાં કાર્યવાહી કરતા અટકાવ્યું ન હતું.' આ પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 36 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો વડાપ્રધાનમાં હિંમત હોય, તો તેમણે ગૃહમાં કહેવું જોઈએ કે ટ્ર

Aug 4, 2025 - 12:21
 0
કોંગ્રેસ સાંસદ સુધાએ કહ્યું-દિલ્હીમાં હવે સાંસદો પણ સુરક્ષિત નથી:અમિત શાહને લખ્યો પત્ર, લોકસભામાં વિપક્ષનો હોબાળો; રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત
સોમવારે સંસદના ચોમાસુ સત્રનો 11મો દિવસ છે. બંને ગૃહોમાં સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બિહાર વોટર લિસ્ટ રિવિઝન (SIR)ના મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે હોબાળો શરૂ કરી દીધો. આ કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તમિલનાડુના કોંગ્રેસ સાંસદ એમ સુધાએ કહ્યું- દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નથી રાજધાની દિલ્હીમાં હવે નેતાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સોમવારે સવારે દિલ્હીના ચાણક્યપુરીમાંથી સોનાની ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી હતી. હેરાન કરનારી વાત એ છે કે સંસદ ભવનથી થોડે દૂર મહિલા સાંસદ આર સુધા સાથે ચેઈન સ્નેચિંગની આ ઘટના બની હતી. તમિલનાડુના મયિલાદુથુરાઈના કોંગ્રેસ સાંસદ એમ સુધા એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે. આજે સવારે 6 વાગ્યે, તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, રસ્તા પર બાઇક સવાર એક બદમાશે તેમના ગળામાંથી સોનાની ચેઇન છીનવીને ભાગી ગયો હતો. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાંસદ આર. સુધાએ અમિત શાહને લખ્યો પત્ર તમિલનાડુના મયિલાદુથુરાઈ લોકસભા મતવિસ્તારના સાંસદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે જણાવ્યું છે કે આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં પોલેન્ડ દૂતાવાસ પાસે તેમની સોનાની ચેઈનની લુંટ કરવામાં આવી હતી. આ ઘટનામાં તેમને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. મહિલા સાંસદે ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે કે તેઓ ગુનેગારની ધરપકડ કરવા અધિકારીઓને નિર્દેશ આપે. દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા 'X' પર સરકાર પર પ્રહારો કર્યા અને લખ્યું કે દિલ્હીમાં આ કોઈ નવી ઘટના નથી. આ રોજિંદી ઘટના છે. દિલ્હીમાં ચેન અને મોબાઈલ લુંટની ઘટનાઓ એટલી સામાન્ય બની ગઈ છે કે લોકો FIR નોંધાવવામાં પણ ખચકાય છે. લોકો જાણે છે કે કંઈ થવાનું નથી. દિલ્હી પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે દિલ્હી પોલીસે જણાવ્યું કે, આજે સવારે 6 વાગ્યે કોંગ્રેસના મહિલા સાંસદ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમના ગળામાંથી સોનાની ચેનની લુંટ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે મામલે ફરિયાદ નોંધી છે. આરોપીઓને ઝડપી લેવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સરકાર સોમવારે લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદો (સુધારા) બિલ, 2025 રજૂ કરવાના છે. બંને બિલો પર એકસાથે ચર્ચા કરવામાં આવશે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલનો ઉદ્દેશ્ય રમતગમત સંગઠનોના કાર્યમાં સુધારો કરવાનો અને પારદર્શિતા વધારવાનો છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે, ચોમાસુ સત્રમાં અત્યાર સુધી ફક્ત 2 દિવસ જ કામ થયું છે. આ બે દિવસમાં પણ બંને ગૃહોમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ 13 ઓગસ્ટથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના માટે લંબાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. તેને 30 જુલાઈના રોજ લોકસભાએ મંજૂરી આપી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે, એટલે કે કુલ 32 દિવસ. આ દરમિયાન, 18 બેઠકો યોજાશે અને 15થી વધુ બિલ રજૂ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે, 13-14 ઓગસ્ટે સંસદની કોઈ કાર્યવાહી થશે નહીં. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરશે, જ્યારે 7 પેન્ડિંગ બિલો પર ચર્ચા થશે. આમાં મણિપુર GST સુધારા બિલ 2025, આવકવેરા બિલ, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ જેવા બિલોનો સમાવેશ થાય છે. નવા આવકવેરા બિલ પર રચાયેલી સંસદીય સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિએ 285 સૂચનો આપ્યા છે. 622 પાનાનું આ બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961ને રિપ્લેસ કરશે. ચોમાસુ સત્રના છેલ્લા 10 દિવસમાં 8 દિવસ કોઈ કામ થયું નહીં 1 ઓગસ્ટ: સાંસદોને રોકવા માટે રાજ્યસભામાં કમાન્ડો બોલાવાયા, રિજિજુએ કહ્યું- વિપક્ષના કેટલાક સભ્યો આક્રમક બન્યા હતા સંસદના ચોમાસુ સત્રના 10મા દિવસે, વિપક્ષે મતદાર ચકાસણીના મુદ્દા પર હોબાળો મચાવ્યો. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે રાજ્યસભામાં સભ્યોને રોકવા માટે કમાન્ડો બોલાવવામાં આવ્યા હતા. લોકશાહીના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે. કોંગ્રેસના આ આરોપ પર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે મને મળેલી માહિતી મુજબ, હોબાળો કરતી વખતે કેટલાક સભ્યો આક્રમક બની ગયા હતા. તેમને ફક્ત રોકવામાં આવ્યા હતા. 31 જુલાઈ- પ્રિયંકાએ કહ્યું- મોદી મિત્રો બનાવે છે, બદલામાં આપણને શું મળ્યું: પીએમએ ટેરિફ મુદ્દે જવાબ આપવો જોઈએ; બિહાર વોટર વેરિફિકેશન મામલે ગૃહમાં હોબાળો સંસદના ચોમાસુ સત્રના 9મા દિવસે, વિપક્ષે બિહાર વોટર વેરિફિકેશન અને યુએસ ટેરિફના મુદ્દા પર હોબાળો મચાવ્યો. લોકસભા અને રાજ્યસભા 3-3 વખત સ્થગિત કરવામાં આવી હતી. ખરેખરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ અંગે વિપક્ષે ગૃહ અને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. 30 જુલાઈ- નડ્ડાએ કહ્યું- 2014 પહેલા બધે બોમ્બ વિસ્ફોટ થતા હતા, યુપીએ સરકાર પાકિસ્તાનને મીઠાઈ ખવડાવતી રહી સંસદમાં ચોમાસુ સત્રના 8મા દિવસે, સતત ત્રીજા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. ભાજપના સાંસદ જેપી નડ્ડાએ કહ્યું કે 2014 પહેલા દરેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા હતા, પરંતુ યુપીએ સરકાર પાકિસ્તાનીઓને મીઠાઈ ખવડાવતી રહી. 29 જુલાઈ - મોદીએ કહ્યું - દુનિયાના કોઈ નેતાએ યુદ્ધ અટકાવ્યું નથી, રાહુલે કહ્યું- હિંમત હોય, તો PM કહે કે ટ્રમ્પ ખોટા છે ચોમાસુ સત્રના 7મા દિવસે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનું નામ લીધા વિના લોકસભામાં પોતાના એક કલાક અને 40 મિનિટના ભાષણમાં કહ્યું, 'ઓપરેશન સિંદૂર દરમિયાન, વિશ્વના કોઈપણ દેશે ભારતને પોતાની સુરક્ષામાં કાર્યવાહી કરતા અટકાવ્યું ન હતું.' આ પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 36 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જો વડાપ્રધાનમાં હિંમત હોય, તો તેમણે ગૃહમાં કહેવું જોઈએ કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર લોકસભામાં 16 કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી.' 28 જુલાઈ- પહેલા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા, જયશંકરે યુદ્ધવિરામ પર કહ્યું- મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાત થઈ નથી સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં 16 કલાકની ચર્ચા શરૂ થઈ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચર્ચા શરૂ કરી. ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું - 22 એપ્રિલથી 17 જૂન સુધી ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આ અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો. વિદેશ મંત્રીના ભાષણ દરમિયાન અમિત શાહ બે વાર ઉભા થયા અને કહ્યું- ભારતના વિદેશ મંત્રી અહીં નિવેદન આપી રહ્યા છે, પરંતુ વિપક્ષ તેમના પર વિશ્વાસ કરતો નથી. તેઓ કોઈ બીજા દેશ પર વિશ્વાસ કરે છે. તેથી જ તેઓ વિપક્ષમાં બેઠા છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો તેઓ બીજા 20 વર્ષ ત્યાં જ બેસી રહેશે. 25 જુલાઈ - રાહુલ-પ્રિયંકાએ સંસદના ગેટ પર SIR લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા સંસદના ચોમાસુ સત્રના પાંચમા દિવસે, વિપક્ષે બિહાર વોટર વેરિફિકેશનના મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષી સાંસદોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કરી હતી. મકર દ્વાર પહોંચતા જ રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષી સાંસદોએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) લખેલા પોસ્ટરો ફાડ્યા હતા. 24 જુલાઈ - ચોમાસુ સત્રનો ચોથો દિવસ: લોકસભાની કાર્યવાહી માત્ર 12 મિનિટ ચાલી સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દા પર હોબાળો શરૂ કરી દીધો. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી સાંસદો વેલમાં આવી ગયા અને પોસ્ટર લહેરાવવાનું શરૂ કરી દીધું. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- જો તમે પ્લેકાર્ડ લઈને આવશે તો ગૃહ ચાલશે નહીં. તેમણે કોંગ્રેસના સાંસદોને કહ્યું- આ તમારા સંસ્કાર (સંસ્કૃતિ) નથી. 23 જુલાઈ - ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ: રાહુલે કહ્યું - યુદ્ધવિરામ કરાવનાર ટ્રમ્પ કોણ છે સંસદમાં ચોમાસુ સત્રમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું, 'ટ્રમ્પે 25 વાર દાવો કર્યો છે કે તેમણે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ કરાવ્યો છે. તેઓ કોણ છે? આ તેમનું કામ નથી.' ભારતના વડા પ્રધાન સંપૂર્ણપણે મૌન છે. તેમણે ટ્રમ્પના દાવાઓનો એક પણ જવાબ આપ્યો નથી. વડા પ્રધાન શું કહેશે? તેઓ કેવી રીતે સમજાવશે કે ટ્રમ્પે પાકિસ્તાન સાથે સમજુતી કરાવી છે? 22 જુલાઈ - ચોમાસુ સત્રનો બીજો દિવસ: બિહાર વોટર લિસ્ટના મુદ્દા પર સંસદમાં વિપક્ષનો વિરોધ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ મકર દ્વાર ખાતે સંસદ ભવનના પગથિયાં પર ઊભા રહીને બિહાર SIRનો વિરોધ કર્યો હતો. 21 જુલાઈ- ચોમાસુ સત્રનો પહેલો દિવસ: પહેલગામ-ઓપરેશન સિંદૂર પર હોબાળો સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે, પહેલગામ અને ઓપરેશન સિંદૂર પર રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો. વિપક્ષે આ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા. દિવસ દરમિયાન લોકસભા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow