₹500ના પગારદારથી ₹25 લાખની ફી સુધીની સફર:'ગુત્થી'ના પાત્રએ સુનીલ ગ્રોવરના જીવનને નવો વળાંક આપ્યો; ઝઘડા બાદ કપિલ સાથે અબોલા લીધા

સુનીલ ગ્રોવરનું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર મોટું સ્મિત આવી જાય છે. તેણે ભજવેલું 'ગુત્થી'નું પાત્ર હોય કે પછી 'ડૉ. મશહુર ગુલાટી'નું, સુનીલે પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા છે. તેનો અભિનય કેટલો ખાસ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 'ગજની' અને 'હીરોપંતી' જેવી ફિલ્મોમાં માત્ર થોડી મિનિટોની તેમની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે. સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી ગામમાં થયો હતો. તેણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર્સ કર્યું છે. સુનીલ ગ્રોવરના પિતા જે.એન. ગ્રોવર સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં મેનેજર હતા. હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. જે. એન. ગ્રોવરને બે દીકરા અને એક દીકરી છે. સુનીલે પોતાનું શાળાકીય શિક્ષણ આર્ય વિદ્યા મંદિર ડબવાલીમાંથી કર્યું હતું, જ્યારે તેણે આગળનો અભ્યાસ ગુરુનાનક કોલેજમાંથી કર્યો હતો. સુનિલના નાના ભાઈ અનિલે પણ થિયેટરનો કોર્સ કર્યો છે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' સાથેની વાતચીતમાં સુનીલે જણાવ્યું કે, તેને બાળપણથી જ અભિનય અને લોકોને હસાવવાનો શોખ હતો. જ્યારે તેણે ધોરણ 12માં એક નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે ત્યાં હાજર મુખ્ય અતિથિએ મજાકમાં કહ્યું હતું કે, તેણે ભાગ લેવાની જરૂર નહતી કારણ કે, તે અન્ય બાળકો કરતા સારો હતો. કોલેજના પહેલા વર્ષમાં સુનીલ ગ્રોવરને ખબર પડી કે, કોમેડિયન જસપાલ ભટ્ટી એક શો માટે ઓડિશન લઈ રહ્યા છે. તેથી સુનીલ કોઈ પણ અપેક્ષા વગર સીધો ઓડિશન આપવા પહોંચી ગયો. અંદર પહોંચ્યો ત્યારે ખબર પડી કે ખુદ જસપાલ ભટ્ટી, તેમના પત્ની અને ડિરેક્ટર હાજર હતા. સુનિલે ત્રણ-ચાર પરફોર્મન્સ આપ્યા અને જ્યારે તેણે પોતાનો ફોટો આપ્યો, ત્યારે જસપાલે ફોટાની પાછળ લખ્યું હતું,'હું તેને કારકુન પ્રકારના રોલ માટે બોલાવીશ.' અહીંથી જ સુનીલની યાત્રા શરૂ થઈ. તેણે જસપાલ ભટ્ટી સાથે લાઈવ શો કરવાનું શરૂ કર્યું. સુનીલની પહેલી ટીવી એન્ટ્રી શો 'ફુલ ટેન્શન'માં થઈ હતી, જેમાં તેને ન્યૂ યર સ્પેશિયલ એપિસોડ માટે ડાકુની નાની ભૂમિકા મળી હતી. સુનીલનો આખો પરિવાર તેમના મામીના ઘરે ટીવી સામે બેઠો હતો, પરંતુ સુનીલની એક જ લાઇન હતી, 'ડાકુ આ ગયે! ડાકુ આ ગયે!'- તે સમયે જ આવી જ્યારે તેમના મામી વોશરૂમમાં ગયાં હતાં. આવી સ્થિતિમાં તેનો અડધો પરિવાર તેની પ્રથમ એન્ટ્રી ચૂકી ગયો. થિયેટરમાં માસ્ટર્સ કર્યા પછી, જ્યારે સુનીલ મુંબઈ આવ્યો, ત્યારે શરૂઆતમાં તેને લાગ્યું કે, હવે સફળતા મળવાની તૈયારીમાં જ છે. તેણે કહ્યું હતું કે, પહેલા વર્ષમાં તેણે પાર્ટીમાં ઘણો સમય પસાર કર્યો હતો કારણ કે, તેને વિશ્વાસ હતો કે વસ્તુઓ જલ્દીથી સારી થઈ જશે. તે સમયે તેમની આવક માત્ર ₹500 પ્રતિ મહિને હતી, બાકીના ખર્ચાઓ ઘરના પૈસા અને બચત દ્વારા કરવામાં આવતા હતા. પણ ધીમે ધીમે સુનીલને સમજાયું કે, મુંબઈમાં એવા ઘણા લોકો છે, જેઓ તેમના શહેરોમાં 'સુપરસ્ટાર' છે, પરંતુ અહીં દરેક 'સ્ટ્રગલર' છે. જ્યારે પૈસાનો સહારો ન રહ્યો, ત્યારે જિંદગીએ તેને એક કડવા સત્યનો સામનો કરાવ્યો. સપના છોડવાના વિચારને તિલાંજલિ આપી ફરી કામની શોધમાં લાગી ગયો આ સમય દરમિયાન તેને તેના પિતાની વાત યાદ આવી, જેઓ રેડિયો એનાઉન્સર બનવા માંગતા હતા અને તેમને ઑફર પણ મળી હતી, પરંતુ તેમના દાદાની નારાજગીને કારણે, તેમને બેંકમાં નોકરી લેવી પડી હતી, જેનો તેમને આખી જિંદગી પસ્તાવો હતો. આ વિચારીને સુનીલે તેના સપના છોડવાની ના પાડી દીધી અને ફરીથી કામ શોધવામાં લાગી ગયો. સુનીલને એક ટીવી શો માટે પસંદ કરવામાં આવ્યો હતો, 3 દિવસનું શૂટિંગ પૂર્ણ થયું હતું, પરંતુ અચાનક કોલ આવવાનું બંધ થઈ ગયું. તેણે પોતે ફોન કરીને પૂછ્યું, તો જવાબ મળ્યો કે તેને રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે. જોકે સુનીલને ધીમે ધીમે વોઈસ ઓવરનું કામ મળવાનું શરૂ થઈ ગયું. તેણે કહ્યું કે, જ્યારે તેને ટીવી અને ફિલ્મોમાંથી રિજેક્શન મળતું હતું, ત્યારે વોઈસ ઓવર એક સહારો બની ગયો હ,તો જે ઘણા લોકો પાસે નહોતો. સુનીલને એક રેડિયો શો કરવાનો મોકો મળ્યો, જે માત્ર દિલ્હી માટે હતો, પરંતુ જ્યારે આ શો ઓન એર થયો, ત્યારે તે એટલો ફેમસ થઈ ગયો કે આખા દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો. આ પછી તેને રેડિયો, ટીવી અને ફિલ્મોમાં સતત કામ મળવા લાગ્યું. ટીવી સિરિયલમાં કામ કર્યું તેની કારકિર્દીની શરૂઆતમાં, સુનીલ ગ્રોવરે 'પ્રોફેસર મની પ્લાન્ટ', 'શssshhhh... કોઈ હૈ', 'કૌન બનેગા ચંપુ', 'ક્યા આપ પાંચવી ફેલ ચંપુ હૈ?' અને 'ચલા લલ્લન હીરો બનને' જેવા શોમાં કામ કર્યું હતું. તેણે ભારતના પ્રથમ સાયલન્ટ કોમેડી શો 'ગુટુર ગું'ના પહેલા 26 એપિસોડમાં પણ કામ કર્યું હતું. 1995માં કરિયરની શરૂઆત કરનાર સુનીલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો, જ્યારે તેને 2013માં 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં 'ગુત્થી'નો રોલ મળ્યો. આ શો દ્વારા તે ઘરે ઘરે જાણીતો બન્યો. સુનીલ ગ્રોવરને 'ગુત્થી'નો વિચાર કેવી રીતે આવ્યો 'જિસ્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે, તેણે 'ગુત્થી'નું પાત્ર ક્યાંયથી શીખ્યું નથી પરંતુ તેને તેની આસપાસના જીવનમાંથી લીધું છે. જોકે, 2014માં સુનીલ ગ્રોવરે થોડા સમય પછી 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ' શો છોડી દીધો હતો. આ પછી સ્ટાર પ્લસ પર તેનો શો 'મેડ ઇન ઇન્ડિયા' આવ્યો, જેમાં તેનું પાત્ર 'ગુત્થી' જેવું જ હતું, પરંતુ આ શો લાંબો સમય ચાલ્યો નહીં. ત્યારબાદ તે 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં પાછો ફર્યો અને કપિલ શર્મા સાથે કામ કર્યું. જો કે, ટૂંક સમયમાં આ શો કલર્સ ટીવી પર બંધ થઈ ગયો. બાદમાં, જ્યારે સોની ટીવી પર 'ધ કપિલ શર્મા શો' શરૂ થયો, ત્યારે સુનીલ ગ્રોવર ફરીથી તેમાં જોડાયો. આ શોમાં તેણે 'ડૉ. મશહુર ગુલાટી' અને 'રિંકુ ભાભી' જેવા પાત્રો ભજવ્યા હતા, જે દર્શકોમાં ખૂબ જ પ્રિય થયા અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યા. સુનીલે મંદિરા બેદીની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું 2015માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફેમ મંદિરા બેદીએ તેની ડિઝાઇન કરેલી સાડીઓનો ફેશન શો યોજ્યો હતો. આ શોમાં પ્રોફેશનલ મોડલ્સને બદલે 'ગુત્થી' એટલે કે સુનીલ ગ્રોવર શોસ્ટોપર હતો. આ ઘટના Myntra ફેશન વીકમાં બની હતી, જ્યાં સુનીલે પિં

Aug 4, 2025 - 12:21
 0
₹500ના પગારદારથી ₹25 લાખની ફી સુધીની સફર:'ગુત્થી'ના પાત્રએ સુનીલ ગ્રોવરના જીવનને નવો વળાંક આપ્યો; ઝઘડા બાદ કપિલ સાથે અબોલા લીધા
સુનીલ ગ્રોવરનું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર મોટું સ્મિત આવી જાય છે. તેણે ભજવેલું 'ગુત્થી'નું પાત્ર હોય કે પછી 'ડૉ. મશહુર ગુલાટી'નું, સુનીલે પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા છે. તેનો અભિનય કેટલો ખાસ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 'ગજની' અને 'હીરોપંતી' જેવી ફિલ્મોમાં માત્ર થોડી મિનિટોની તેમની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે. સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી ગામમાં થયો હતો. તેણે પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી થિયેટરમાં માસ્ટર્સ કર્યું છે. સુનીલ ગ્રોવરના પિતા જે.એન. ગ્રોવર સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં મેનેજર હતા. હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. જે. એન. ગ્રોવરને બે દીકરા અને એક દીકરી છે. સુનીલે પોતાનું શાળાકીય શિક્ષણ આર્ય વિદ્યા મંદિર ડબવાલીમાંથી કર્યું હતું, જ્યારે તેણે આગળનો અભ્યાસ ગુરુનાનક કોલેજમાંથી કર્યો હતો. સુનિલના નાના ભાઈ અનિલે પણ થિયેટરનો કોર્સ કર્યો છે 'હ્યુમન્સ ઓફ બોમ્બે' સાથેની વાતચીતમાં સુનીલે જણાવ્યું કે, તેને બાળપણથી જ અભિનય અને લોકોને હસાવવાનો શોખ હતો. જ્યારે તેણે ધોરણ 12માં એક નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે ત્યાં હાજર મુખ્ય અતિથિએ મજાકમાં કહ્યું હતું કે, તેણે ભાગ લેવાની જરૂર નહતી કારણ કે, તે અન્ય બાળકો કરતા સારો હતો. કોલેજના પહેલા વર્ષમાં સુનીલ ગ્રોવરને ખબર પડી કે, કોમેડિયન જસપાલ ભટ્ટી એક શો માટે ઓડિશન લઈ રહ્યા છે. તેથી સુનીલ કોઈ પણ અપેક્ષા વગર સીધો ઓડિશન આપવા પહોંચી ગયો. અંદર પહોંચ્યો ત્યારે ખબર પડી કે ખુદ જસપાલ ભટ્ટી, તેમના પત્ની અને ડિરેક્ટર હાજર હતા. સુનિલે ત્રણ-ચાર પરફોર્મન્સ આપ્યા અને જ્યારે તેણે પોતાનો ફોટો આપ્યો, ત્યારે જસપાલે ફોટાની પાછળ લખ્યું હતું,'હું તેને કારકુન પ્રકારના રોલ માટે બોલાવીશ.' અહીંથી જ સુનીલની યાત્રા શરૂ થઈ. તેણે જસપાલ ભટ્ટી સાથે લાઈવ શો કરવાનું શરૂ કર્યું. સુનીલની પહેલી ટીવી એન્ટ્રી શો 'ફુલ ટેન્શન'માં થઈ હતી, જેમાં તેને ન્યૂ યર સ્પેશિયલ એપિસોડ માટે ડાકુની નાની ભૂમિકા મળી હતી. સુનીલનો આખો પરિવાર તેમના મામીના ઘરે ટીવી સામે બેઠો હતો, પરંતુ સુનીલની એક જ લાઇન હતી, 'ડાકુ આ ગયે! ડાકુ આ ગયે!'- તે સમયે જ આવી જ્યારે તેમના મામી વોશરૂમમાં ગયાં હતાં. આવી સ્થિતિમાં તેનો અડધો પરિવાર તેની પ્રથમ એન્ટ્રી ચૂકી ગયો. થિયેટરમાં માસ્ટર્સ કર્યા પછી, જ્યારે સુનીલ મુંબઈ આવ્યો, ત્યારે શરૂઆતમાં તેને લાગ્યું કે, હવે સફળતા મળવાની તૈયારીમાં જ છે. તેણે કહ્યું હતું કે, પહેલા વર્ષમાં તેણે પાર્ટીમાં ઘણો સમય પસાર કર્યો હતો કારણ કે, તેને વિશ્વાસ હતો કે વસ્તુઓ જલ્દીથી સારી થઈ જશે. તે સમયે તેમની આવક માત્ર ₹500 પ્રતિ મહિને હતી, બાકીના ખર્ચાઓ ઘરના પૈસા અને બચત દ્વારા કરવામાં આવતા હતા. પણ ધીમે ધીમે સુનીલને સમજાયું કે, મુંબઈમાં એવા ઘણા લોકો છે, જેઓ તેમના શહેરોમાં 'સુપરસ્ટાર' છે, પરંતુ અહીં દરેક 'સ્ટ્રગલર' છે. જ્યારે પૈસાનો સહારો ન રહ્યો, ત્યારે જિંદગીએ તેને એક કડવા સત્યનો સામનો કરાવ્યો. સપના છોડવાના વિચારને તિલાંજલિ આપી ફરી કામની શોધમાં લાગી ગયો આ સમય દરમિયાન તેને તેના પિતાની વાત યાદ આવી, જેઓ રેડિયો એનાઉન્સર બનવા માંગતા હતા અને તેમને ઑફર પણ મળી હતી, પરંતુ તેમના દાદાની નારાજગીને કારણે, તેમને બેંકમાં નોકરી લેવી પડી હતી, જેનો તેમને આખી જિંદગી પસ્તાવો હતો. આ વિચારીને સુનીલે તેના સપના છોડવાની ના પાડી દીધી અને ફરીથી કામ શોધવામાં લાગી ગયો. સુનીલને એક ટીવી શો માટે પસંદ કરવામાં આવ્યો હતો, 3 દિવસનું શૂટિંગ પૂર્ણ થયું હતું, પરંતુ અચાનક કોલ આવવાનું બંધ થઈ ગયું. તેણે પોતે ફોન કરીને પૂછ્યું, તો જવાબ મળ્યો કે તેને રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે. જોકે સુનીલને ધીમે ધીમે વોઈસ ઓવરનું કામ મળવાનું શરૂ થઈ ગયું. તેણે કહ્યું કે, જ્યારે તેને ટીવી અને ફિલ્મોમાંથી રિજેક્શન મળતું હતું, ત્યારે વોઈસ ઓવર એક સહારો બની ગયો હ,તો જે ઘણા લોકો પાસે નહોતો. સુનીલને એક રેડિયો શો કરવાનો મોકો મળ્યો, જે માત્ર દિલ્હી માટે હતો, પરંતુ જ્યારે આ શો ઓન એર થયો, ત્યારે તે એટલો ફેમસ થઈ ગયો કે આખા દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો. આ પછી તેને રેડિયો, ટીવી અને ફિલ્મોમાં સતત કામ મળવા લાગ્યું. ટીવી સિરિયલમાં કામ કર્યું તેની કારકિર્દીની શરૂઆતમાં, સુનીલ ગ્રોવરે 'પ્રોફેસર મની પ્લાન્ટ', 'શssshhhh... કોઈ હૈ', 'કૌન બનેગા ચંપુ', 'ક્યા આપ પાંચવી ફેલ ચંપુ હૈ?' અને 'ચલા લલ્લન હીરો બનને' જેવા શોમાં કામ કર્યું હતું. તેણે ભારતના પ્રથમ સાયલન્ટ કોમેડી શો 'ગુટુર ગું'ના પહેલા 26 એપિસોડમાં પણ કામ કર્યું હતું. 1995માં કરિયરની શરૂઆત કરનાર સુનીલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો, જ્યારે તેને 2013માં 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં 'ગુત્થી'નો રોલ મળ્યો. આ શો દ્વારા તે ઘરે ઘરે જાણીતો બન્યો. સુનીલ ગ્રોવરને 'ગુત્થી'નો વિચાર કેવી રીતે આવ્યો 'જિસ્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે, તેણે 'ગુત્થી'નું પાત્ર ક્યાંયથી શીખ્યું નથી પરંતુ તેને તેની આસપાસના જીવનમાંથી લીધું છે. જોકે, 2014માં સુનીલ ગ્રોવરે થોડા સમય પછી 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ' શો છોડી દીધો હતો. આ પછી સ્ટાર પ્લસ પર તેનો શો 'મેડ ઇન ઇન્ડિયા' આવ્યો, જેમાં તેનું પાત્ર 'ગુત્થી' જેવું જ હતું, પરંતુ આ શો લાંબો સમય ચાલ્યો નહીં. ત્યારબાદ તે 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં પાછો ફર્યો અને કપિલ શર્મા સાથે કામ કર્યું. જો કે, ટૂંક સમયમાં આ શો કલર્સ ટીવી પર બંધ થઈ ગયો. બાદમાં, જ્યારે સોની ટીવી પર 'ધ કપિલ શર્મા શો' શરૂ થયો, ત્યારે સુનીલ ગ્રોવર ફરીથી તેમાં જોડાયો. આ શોમાં તેણે 'ડૉ. મશહુર ગુલાટી' અને 'રિંકુ ભાભી' જેવા પાત્રો ભજવ્યા હતા, જે દર્શકોમાં ખૂબ જ પ્રિય થયા અને લોકોએ તેને ખૂબ પસંદ કર્યા. સુનીલે મંદિરા બેદીની સાડી પહેરીને રેમ્પ વોક કર્યું 2015માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફેમ મંદિરા બેદીએ તેની ડિઝાઇન કરેલી સાડીઓનો ફેશન શો યોજ્યો હતો. આ શોમાં પ્રોફેશનલ મોડલ્સને બદલે 'ગુત્થી' એટલે કે સુનીલ ગ્રોવર શોસ્ટોપર હતો. આ ઘટના Myntra ફેશન વીકમાં બની હતી, જ્યાં સુનીલે પિંક અને ગોલ્ડન સાડી તેમજ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. કપિલ સાથે ઝઘડા બાદ અબોલા લીધા સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે માર્ચ 2017માં વિવાદ થયો હતો. જે પછી બંને ઘણા વર્ષો સુધી સાથે જોવા મળ્યા નહતા. 2017માં બોલિવૂડ હંગામાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કપિલ શર્માએ ઝઘડા વિશે કહ્યું હતું કે, 'હા, તે સમયે કોઈ સમસ્યા હતી અને મારે તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી, પરંતુ મીડિયામાં જે વાતો આવી તે અતિશયોક્તિપૂર્ણ અને ખોટી હતી. એવું કહેવામાં આવ્યું કે મેં ફ્લાઈટમાં પહેલા ખાવાનું માંગ્યું, ગુસ્સે થઈને સુનીલ પર જૂતું ફેંક્યું. જૂતા ફેંકવાની અને ગુસ્સે થવાની આ બધી વાતો ડિજિટલ મીડિયાના કેટલાક લોકોએ ફેલાવી હતી.' આ ઘટના બાદ કપિલે સુનીલની માફી પણ માંગી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હાલમાં X) અને ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, 'હું સુનીલને પોતાનો ભાઈ માનું છું.' જ્યારે સુનીલે કહ્યું હતું કે, 'કપિલે મને ઘણું દુઃખ પહોંચાડ્યું છે' અને તેને સલાહ આપી હતી કે, 'માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ માણસોનું પણ સન્માન કરો.' તેણે એમ પણ લખ્યું હતું કે, 'જો કોઈ તમને સુધારી રહ્યું છે, તો તેને ગાળો ન આપો.' બાદમાં કપિલે કહ્યું હતું કે, તેણે સુનીલ સાથે કોઈ ઝઘડો કર્યો નથી, સાચી દલીલ ચંદન પ્રભાકર (કપિલના શોમાં ચંદુનું પાત્ર ભજવનાર) સાથે હતી. તે ફ્લાઈટ પહેલા જ તણાવપૂર્ણ મૂડમાં હતો અને તેથી જ તેણે પોતાનો ગુસ્સો ચંદન પર ઠાલવ્યો હતો. 2020 માં બંને એક લગ્નમાં મળ્યા હતા અને સાથે સ્ટેજ શેર કર્યો હતો. આ પછી સુનીલે કપિલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કપિલે તેની સર્જરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ધીમે-ધીમે તેમના સંબંધો સુધરતા ગયા અને વર્ષ 2024માં સુનીલ સાત વર્ષ પછી કપિલના શોમાં પાછો ફર્યો. હાલમાં બંને 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સાથે કામ કરી રહ્યા છે. આ પછી તે 'કાનપુર વાલે ખુરાનાઝ' શોમાં પાછો ફર્યો, પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહીં. વર્ષ 2020 માં તે 'ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન' સાથે ટીવી પર પાછો ફર્યો, જેમાં તેણે 'ભીંડીભાઈ'ની ભૂમિકા ભજવી હતી. થોડા મહિના પછી આ શો બંધ થઈ ગયો હતો. ટીવી અને ફિલ્મોની સાથે વેબ સિરીઝમાં પણ પગપેસારો કર્યો 2021 માં તે વેબ સિરીઝ 'તાંડવ'માં ગુરપાલ ચૌહાણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેમાં સૈફ અલી ખાન, કુમુદ મિશ્રા, મોહમ્મદ જીશાન અયુબ જેવા કલાકારો હતા. તે જ વર્ષે, તેણે 'સનફ્લાવર' વેબ સિરીઝમાં સોનુ સિંહની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે તેણે લગભગ 8 કિલો વજન ઘટાડ્યું હતું. માર્ચ 2024 માં તે નેટફ્લિક્સના શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સાત વર્ષ પછી કપિલ શર્મા સાથે પાછો ફર્યો. સુનિલના લગ્ન આરતી સાથે થયા છે અને તેમને એક દીકરો છે. ફેબ્રુઆરી 2022માં તેને હાર્ટ એટેક આવ્યો, ત્યાર બાદ તેની ચાર બાયપાસ સર્જરી કરવામાં આવી. સુનીલની પત્ની આરતી વ્યવસાયે ઈન્ટીરીયર ડીઝાઈનર છે. સુનીલના મતે, 'ક્યાંય પણ પરફોર્મ કરતા પહેલા હું મારા તમામ જોક્સ મારી પત્ની આરતીને કહું છું. જો તેણી હસે છે, તો હું તે જોક્સ પર પરફોર્મ કરું છું અને જો તે હસતી નથી, તો હું સમજી જાઉં છું કે દર્શકોની સામે જોક નહીં ચાલે.' ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, સુનીલની કુલ સંપત્તિ લગભગ ₹21 કરોડ છે અને તે મુંબઈમાં એક આલીશાન ડુપ્લેક્સ ઘર ધરાવે છે. ઈકોનોમિક ટાઈમ્સ અને કોઈમોઈના અહેવાલો અનુસાર, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની સીઝન 3 માટે સુનીલ ગ્રોવરની ફી લગભગ 25 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ છે. જો કે, દિવ્ય ભાસ્કર આ માહિતીની પુષ્ટિ કરતું નથી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow