ધમડાચી ગામમાં ઝાડ કાપવાનો વિવાદ:સરપંચ પતિનો દાવો - ગ્રામસભાના ઠરાવ મુજબ માત્ર છાંટણી કરાઈ, સ્થાનિકોએ કરી ન્યાયિક તપાસની માંગ

વલસાડ જિલ્લાના ધમડાચી ગામમાં મુખ્ય માર્ગ પર આવેલા સરકારી ઝાડોની કાપણીને લઈને વિવાદ સર્જાયો છે. સરપંચના પતિએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆત અને વલસાડમાં લીમડાનું ઝાડ પડવાથી વિદ્યાર્થીના મોતની ઘટનાને ધ્યાનમાં રાખી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. સરપંચ પતિના મતે, ગામના સુપ્રસિદ્ધ વૈષ્ણવ દેવી મંદિરે આવતી ખાનગી ટ્રાવેલ્સ અને મોટા વાહનચાલકો અને સામાન લાવનારા ટેમ્પો-ટ્રક ચાલકોની ફરિયાદ હતી કે ઝાડો વાહન ચલાવવામાં અવરોધરૂપ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઝાડ કાપવામાં નહીં આવ્યા, માત્ર જરૂરી છાંટણી (ક્રિમિંગ) કરવામાં આવી છે. બીજી તરફ, કેટલાક સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વન વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે સરકારી મંજૂરી વિના ઝાડો કાપવામાં આવ્યા છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ ઝાડો વલસાડ મામલતદારની રેન્જ હેઠળ આવે છે. આગળની તપાસ માટે મામલો મામલતદાર કચેરીને સોંપવામાં આવ્યો છે. હવે ધમડાચી ગામમાં ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર ઠરાવ પ્રમાણે ફક્ત છાંટણી કરવામાં આવી છે કે પછી સંપૂર્ણ ઝાડો કાપી નાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકો 35 જેટલા ઝાડોની કાપણી અંગે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.

Aug 7, 2025 - 11:45
 0
ધમડાચી ગામમાં ઝાડ કાપવાનો વિવાદ:સરપંચ પતિનો દાવો - ગ્રામસભાના ઠરાવ મુજબ માત્ર છાંટણી કરાઈ, સ્થાનિકોએ કરી ન્યાયિક તપાસની માંગ
વલસાડ જિલ્લાના ધમડાચી ગામમાં મુખ્ય માર્ગ પર આવેલા સરકારી ઝાડોની કાપણીને લઈને વિવાદ સર્જાયો છે. સરપંચના પતિએ જણાવ્યું કે સ્થાનિકોની રજૂઆત અને વલસાડમાં લીમડાનું ઝાડ પડવાથી વિદ્યાર્થીના મોતની ઘટનાને ધ્યાનમાં રાખી ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. સરપંચ પતિના મતે, ગામના સુપ્રસિદ્ધ વૈષ્ણવ દેવી મંદિરે આવતી ખાનગી ટ્રાવેલ્સ અને મોટા વાહનચાલકો અને સામાન લાવનારા ટેમ્પો-ટ્રક ચાલકોની ફરિયાદ હતી કે ઝાડો વાહન ચલાવવામાં અવરોધરૂપ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઝાડ કાપવામાં નહીં આવ્યા, માત્ર જરૂરી છાંટણી (ક્રિમિંગ) કરવામાં આવી છે. બીજી તરફ, કેટલાક સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વન વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે સરકારી મંજૂરી વિના ઝાડો કાપવામાં આવ્યા છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ ઝાડો વલસાડ મામલતદારની રેન્જ હેઠળ આવે છે. આગળની તપાસ માટે મામલો મામલતદાર કચેરીને સોંપવામાં આવ્યો છે. હવે ધમડાચી ગામમાં ચર્ચા ચાલી રહી છે કે શું ખરેખર ઠરાવ પ્રમાણે ફક્ત છાંટણી કરવામાં આવી છે કે પછી સંપૂર્ણ ઝાડો કાપી નાખવામાં આવ્યા છે. સ્થાનિક લોકો 35 જેટલા ઝાડોની કાપણી અંગે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow