અમેરિકામાં સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ:જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીના હસ્તે નૂતન સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન કરાયું

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. ન્યુ જર્સીના સિકોક્સ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર અને કલચરલ સેન્ટરનો ૨૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાપુજા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, ભવ્ય અન્નકૂટ, આરતી ઉત્સવ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સિકોકસના મેયર મિશેલ ગોનેલી, પેટરસનના મેયર આન્દ્રે સાયેગા, ન્યુ જર્સી એસેમ્બલીમેન ગેબ્રિયલ રોડ્રિગેઝ અને લેરી વેઇન્સ્ટીન, સિકોકસ પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ ડેનિસ મિલર અને કેપ્ટન હોક્સહાર્ટ, હડસન કાઉન્ટી શેરિફ ઓફિસના શ્રી ફ્રાન્સિસ અલોહસો, ન્યુ જર્સી ગવર્નરના પ્રતિનિધિ શ્રી ઇઝી ચૌધરી સહિત અનેક મહાનુભાવો ખાસ પધાર્યા હતા. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ અમેરિકા સત્સંગ વિચરણની વિગતો આપી હતી. લ્યુઈસવિલ, કંટકી ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન હરિભક્તો અને સંતવૃંદની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે કર્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ અને સંતવૃંદે અમેરિકાના વિવિધ સ્થળોએ સત્સંગ શિબિરો યોજી હતી. ઓકાલા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ, જ્યોર્જિયા, ઈન્ડિયાના પોલિસ, શિકાગો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ, ઓહાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, ડેલાવર મંદિરનો પાટોત્સવ, પેન્સીલવેનીયા, હોર્સ હેડ, ન્યુ યોર્ક, કનેક્ટીકટ અને પીસકેટાવે વિગેરે સ્થાનોએ સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ હતી. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય છે. આનાથી તે સત્સંગમાં કાયમ માટે જોતરાઈ રહે છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, સિકોક્સના પ્રમુખ, મંડળના હોદ્દેદારો અને હરિભક્તોના સમૂહે મહોત્સવને શોભાવ્યો હતો.

Aug 7, 2025 - 11:45
 0
અમેરિકામાં સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ:જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીના હસ્તે નૂતન સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન કરાયું
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. ન્યુ જર્સીના સિકોક્સ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર અને કલચરલ સેન્ટરનો ૨૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. આ ત્રિદિવસીય મહોત્સવમાં મહાપુજા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, ભવ્ય અન્નકૂટ, આરતી ઉત્સવ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સિકોકસના મેયર મિશેલ ગોનેલી, પેટરસનના મેયર આન્દ્રે સાયેગા, ન્યુ જર્સી એસેમ્બલીમેન ગેબ્રિયલ રોડ્રિગેઝ અને લેરી વેઇન્સ્ટીન, સિકોકસ પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ ડેનિસ મિલર અને કેપ્ટન હોક્સહાર્ટ, હડસન કાઉન્ટી શેરિફ ઓફિસના શ્રી ફ્રાન્સિસ અલોહસો, ન્યુ જર્સી ગવર્નરના પ્રતિનિધિ શ્રી ઇઝી ચૌધરી સહિત અનેક મહાનુભાવો ખાસ પધાર્યા હતા. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ અમેરિકા સત્સંગ વિચરણની વિગતો આપી હતી. લ્યુઈસવિલ, કંટકી ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન હરિભક્તો અને સંતવૃંદની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે કર્યું હતું. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ અને સંતવૃંદે અમેરિકાના વિવિધ સ્થળોએ સત્સંગ શિબિરો યોજી હતી. ઓકાલા, ફ્લોરિડા શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ, જ્યોર્જિયા, ઈન્ડિયાના પોલિસ, શિકાગો શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ, ઓહાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, ડેલાવર મંદિરનો પાટોત્સવ, પેન્સીલવેનીયા, હોર્સ હેડ, ન્યુ યોર્ક, કનેક્ટીકટ અને પીસકેટાવે વિગેરે સ્થાનોએ સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ હતી. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય છે. આનાથી તે સત્સંગમાં કાયમ માટે જોતરાઈ રહે છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, સિકોક્સના પ્રમુખ, મંડળના હોદ્દેદારો અને હરિભક્તોના સમૂહે મહોત્સવને શોભાવ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow