બોલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCAના પ્રેકટિકલ વિષયની લેખિતમાં પરીક્ષા લીધી!:6091 માંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થતા KCG પર ઠીકરું ફોડાયું, એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેતા 6091માં 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને તો 0 માર્ક આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈ સવાલ ઉઠ્યા છે. રાજ્યની એકપણ યુનિવર્સિટી આ રીતે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં નથી લઈ રહી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇનને આગળ ધરી બચાવ કરી રહી છે. જો કે, હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય બદલે તેવી વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આશા રાખીને બેઠા છે. દિવ્ય ભાસ્કરે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીસી, સિન્ડિકેટ મેમ્બર, કોલેજ સંચાલકો અને અધ્યાપકો સાથે વાત કરી અને સમગ્ર સમસ્યા અને તેનો ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં ટોપર પણ નાપાસ થયા! તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માઇનોર 3 પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 વિષયમાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રેક્ટિકલ બેઝડની પ્રોગ્રામિંગ માટેની પરીક્ષા વિદ્યાર્થીઓએ લેખિતમાં આપી હતી. જેમાં કુલ 6091 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજનું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં પૂછવામાં આવ્યા હતા. આ વિષય પ્રેક્ટિકલનો છે. પરંતુ આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક વિભાગની હઠ અને અણઘડ વહીવટના કારણે ન છૂટકે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા લેખિતમાં આપવી પડી છે. કોલેજ સંચાલકોની રજૂઆતો પર પણ ધ્યાન ન અપાયું સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 અને તેમાં એ,બી,સી ઉપક્રમે 3,2,5 માર્ક્સ મળી કુલ 10 માર્ક્સનો એક એવા 5 પ્રશ્ન પૂછવા બદલે પેપર સેટર દ્વારા 10 માર્ક્સનો એક પ્રશ્ન તેના અથવામાં 10 માર્કસનો એક પ્રશ્ન મળી કુલ 5 પ્રશ્ન સાથે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. આ પણ એક મોટી ભૂલ કહેવાય અને તેના માટે પ્રશ્નપત્ર આવતાની સાથે જ કેટલીક કોલેજના સંચાલકોએ તુરંત જ આ ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. જો કે એ સમયે હવે કશું ન થાય કહી વાત ઉડાવી દેવામાં આવી હતી અને આ પરિણામ ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને આવ્યો છે. એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ શા માટે નાપાસ થાય તે સવાલ યુનિવર્સિટીના સત્તાધીશોને સતાવી નથી રહ્યો કારણકે વિદ્યાર્થીઓ પાસ થાય કે નાપાસ તેનાથી તેમને કોઈ લેવા દેવા નથી. 'અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝ્ડ ઓન વિષયમાં 0 માર્ક આવ્યા' દિવ્યભાસ્કર દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશનના પ્રિન્સિપાલ આર.આર.હર્ષાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું હતું કે અમારી કોલેજમાં BCA સેમેસ્ટર 4માં કુલ 130 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાજેતરમાં જ આ પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવેલુ છે. જેમાં અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 (24) વિષયમાં 50 માંથી 0 માર્ક આવ્યા છે. જયારે અન્ય વિદ્યાર્થીઓને 3થી લઇ 12 સુધી માર્ક આવ્યા હોવાના પુરાવા દિવ્યભાસ્કર પાસે આવ્યા છે. એટલે કે આ કોલેજના કુલ 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ પરીક્ષામાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે અને તેમાં પણ નવાઈની વાત એ છે કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય વિષયમાં સારા માર્ક્સ ધરાવે છે પરંતુ માત્ર પ્રેક્ટિકલ પરીક્ષામાં જ તેઓ નાપાસ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમા જણાવ્યું છે કે, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે. અમારી કોલેજમાં BCAના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાની પૂરતી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ આ પછી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીને મળ્યા અને BCA સેમેસ્ટર- 4ની પરીક્ષામાં સુરેન્દ્રનગરની એક કોલેજમાં પ્રેક્ટિકલ બેઝડ ઓન CSના જ એક જ વિષયમાં 32 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BCA સેમેસ્ટર 4ની પ્રેક્ટિકલ વિષયમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેની વિગત માંગી હતી. જેમાં કુલપતિના કહેવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ પાસેથી વિગત મળી તો આ આંકડો સૌ કોઈને આશ્ચર્ય ચકીત કરી દે તેવો હતો કારણ કે 6091 વિદ્યાર્થીઓએ આપેલી પ્રેક્ટિલ પરીક્ષામાં 24% એટલે કે 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. KCGની ગાઈડલાઈનનું અર્થઘટન કરી પરીક્ષા લેવામાં આવી યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ મંથન કરવામાં ન આવતા દિવ્યભાસ્કરની ટિમ દ્વારા આ વાતને ગંભીરતા પૂર્વક સમજી ઇન્વેસ્ટીગેશન કરવામાં આવતા માલૂમ પડ્યું કે KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇન છે જે મુજબ કોઈપણ પેપરમાં 50 માર્કની થીયરી અને 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા ફરજીયાત છે. જેને આધાર બનાવી યુનિવર્સિટીના એકેડેમીક ઓફિસર ચંદ્રેશ કાનાબાર દ્વારા પ્રેક્ટિકલના વિષયમાં પણ થિયરી પેપર લેવાનું નક્કી કર્યું. જેને કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સી. કે. કુંભારાણાએ સહમતી આપી. જોકે તેમાં આ જ ફેકલ્ટીના કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને દલીલ કરી હતી કે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષાનું પેપર પ્રેક્ટિકલમાં જ હોવું જોઈએ. પ્રેક્ટિકલ પરીક્ષાનું થિયરી પેપર લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. જોકે તે વખતે એકેડેમીક ઓફિસર દ્વારા આ બાબતને નજર અંદાજ કરવામાં આવી જેના કારણે જ હાલ આ વિષયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થઈ રહ્યા છે. રેન્કર સ્ટુડન્ટ્સ પણ નાપાસ થતા પરીક્ષા પદ

Aug 8, 2025 - 07:03
 0
બોલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCAના પ્રેકટિકલ વિષયની લેખિતમાં પરીક્ષા લીધી!:6091 માંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થતા KCG પર ઠીકરું ફોડાયું, એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેતા 6091માં 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને તો 0 માર્ક આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈ સવાલ ઉઠ્યા છે. રાજ્યની એકપણ યુનિવર્સિટી આ રીતે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં નથી લઈ રહી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇનને આગળ ધરી બચાવ કરી રહી છે. જો કે, હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય બદલે તેવી વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આશા રાખીને બેઠા છે. દિવ્ય ભાસ્કરે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીસી, સિન્ડિકેટ મેમ્બર, કોલેજ સંચાલકો અને અધ્યાપકો સાથે વાત કરી અને સમગ્ર સમસ્યા અને તેનો ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં ટોપર પણ નાપાસ થયા! તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માઇનોર 3 પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 વિષયમાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રેક્ટિકલ બેઝડની પ્રોગ્રામિંગ માટેની પરીક્ષા વિદ્યાર્થીઓએ લેખિતમાં આપી હતી. જેમાં કુલ 6091 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજનું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં પૂછવામાં આવ્યા હતા. આ વિષય પ્રેક્ટિકલનો છે. પરંતુ આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક વિભાગની હઠ અને અણઘડ વહીવટના કારણે ન છૂટકે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા લેખિતમાં આપવી પડી છે. કોલેજ સંચાલકોની રજૂઆતો પર પણ ધ્યાન ન અપાયું સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 અને તેમાં એ,બી,સી ઉપક્રમે 3,2,5 માર્ક્સ મળી કુલ 10 માર્ક્સનો એક એવા 5 પ્રશ્ન પૂછવા બદલે પેપર સેટર દ્વારા 10 માર્ક્સનો એક પ્રશ્ન તેના અથવામાં 10 માર્કસનો એક પ્રશ્ન મળી કુલ 5 પ્રશ્ન સાથે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. આ પણ એક મોટી ભૂલ કહેવાય અને તેના માટે પ્રશ્નપત્ર આવતાની સાથે જ કેટલીક કોલેજના સંચાલકોએ તુરંત જ આ ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. જો કે એ સમયે હવે કશું ન થાય કહી વાત ઉડાવી દેવામાં આવી હતી અને આ પરિણામ ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને આવ્યો છે. એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ શા માટે નાપાસ થાય તે સવાલ યુનિવર્સિટીના સત્તાધીશોને સતાવી નથી રહ્યો કારણકે વિદ્યાર્થીઓ પાસ થાય કે નાપાસ તેનાથી તેમને કોઈ લેવા દેવા નથી. 'અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝ્ડ ઓન વિષયમાં 0 માર્ક આવ્યા' દિવ્યભાસ્કર દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશનના પ્રિન્સિપાલ આર.આર.હર્ષાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું હતું કે અમારી કોલેજમાં BCA સેમેસ્ટર 4માં કુલ 130 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાજેતરમાં જ આ પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવેલુ છે. જેમાં અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 (24) વિષયમાં 50 માંથી 0 માર્ક આવ્યા છે. જયારે અન્ય વિદ્યાર્થીઓને 3થી લઇ 12 સુધી માર્ક આવ્યા હોવાના પુરાવા દિવ્યભાસ્કર પાસે આવ્યા છે. એટલે કે આ કોલેજના કુલ 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ પરીક્ષામાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે અને તેમાં પણ નવાઈની વાત એ છે કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય વિષયમાં સારા માર્ક્સ ધરાવે છે પરંતુ માત્ર પ્રેક્ટિકલ પરીક્ષામાં જ તેઓ નાપાસ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમા જણાવ્યું છે કે, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે. અમારી કોલેજમાં BCAના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાની પૂરતી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ આ પછી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીને મળ્યા અને BCA સેમેસ્ટર- 4ની પરીક્ષામાં સુરેન્દ્રનગરની એક કોલેજમાં પ્રેક્ટિકલ બેઝડ ઓન CSના જ એક જ વિષયમાં 32 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BCA સેમેસ્ટર 4ની પ્રેક્ટિકલ વિષયમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેની વિગત માંગી હતી. જેમાં કુલપતિના કહેવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ પાસેથી વિગત મળી તો આ આંકડો સૌ કોઈને આશ્ચર્ય ચકીત કરી દે તેવો હતો કારણ કે 6091 વિદ્યાર્થીઓએ આપેલી પ્રેક્ટિલ પરીક્ષામાં 24% એટલે કે 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. KCGની ગાઈડલાઈનનું અર્થઘટન કરી પરીક્ષા લેવામાં આવી યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ મંથન કરવામાં ન આવતા દિવ્યભાસ્કરની ટિમ દ્વારા આ વાતને ગંભીરતા પૂર્વક સમજી ઇન્વેસ્ટીગેશન કરવામાં આવતા માલૂમ પડ્યું કે KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇન છે જે મુજબ કોઈપણ પેપરમાં 50 માર્કની થીયરી અને 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા ફરજીયાત છે. જેને આધાર બનાવી યુનિવર્સિટીના એકેડેમીક ઓફિસર ચંદ્રેશ કાનાબાર દ્વારા પ્રેક્ટિકલના વિષયમાં પણ થિયરી પેપર લેવાનું નક્કી કર્યું. જેને કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સી. કે. કુંભારાણાએ સહમતી આપી. જોકે તેમાં આ જ ફેકલ્ટીના કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને દલીલ કરી હતી કે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષાનું પેપર પ્રેક્ટિકલમાં જ હોવું જોઈએ. પ્રેક્ટિકલ પરીક્ષાનું થિયરી પેપર લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. જોકે તે વખતે એકેડેમીક ઓફિસર દ્વારા આ બાબતને નજર અંદાજ કરવામાં આવી જેના કારણે જ હાલ આ વિષયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થઈ રહ્યા છે. રેન્કર સ્ટુડન્ટ્સ પણ નાપાસ થતા પરીક્ષા પદ્ધતિ પર સવાલો ઉઠ્યા ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય એક હકીકત એ પણ સામે આવી છે કે, BCA સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રેન્કર સ્ટુડન્ટ કે, જેઓને અન્ય વિષયમાં 55થી 75 જેટલા માર્ક હોય આમ છતાં તેઓ માત્રને માત્ર આ એક જ વિષયમાં નાપાસ થયા છે. જેથી એ વાત સાબિત થાય છે કે પેપર આપતા વિદ્યાર્થીઓ નબળા નથી પરંતુ અભ્યાસક્રમ નક્કી કરવામાં અને પેપર ચેકીંગ કરવામાં મોટી ગડબડ થઈ છે. હોશિયાર વિદ્યાર્થીઓ એકમાત્ર આ જ વિષયમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે પરંતુ તેઓ કેમેરા સામે કશું બોલવા તૈયાર થઇ શકતા નથી. કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના એક્સપર્ટે પણ કહ્યું- 'કોમ્પ્યુટર પર બેસીને જ પરીક્ષા લેવાવી જોઈએ' કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના 12 વર્ષના અનુભવી એક્સપર્ટ નિખિલ દવેએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અત્યાર સુધી હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બી.સી.એ.ના અધ્યાપક તરીકે ફરજ બજાવતો હતો. જોકે હાલમાં હું GTU સંલગ્ન કોલેજમાં ફરજ બજાવી રહ્યો છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએ સેમેસ્ટર 1થી 4માં જે પ્રેક્ટિકલ બેઝડ ઓન પેપર લેવામાં આવે છે તે સેમેસ્ટર 5 અને 6મા પણ આવશે. આ પેપર સંપૂર્ણપણે પ્રેકટીકલ પેપર છે પરંતુ NEP (નેશનલ એજ્યુકેશન પોલીસી) - 2020 મુજબ આ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થીયોરીટીકલી લખવાનું આવે છે જેમાં વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ લખવાના હોય છે. અત્યાર સુધી એ પ્રકારની સિસ્ટમ હતી કે જેમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિકલની પરીક્ષા આપતા હતા પરંતુ હાલ એવી સ્થિતિ સર્જાય છે કે કોમ્પ્યુટર પર બેસીને વિદ્યાર્થી પ્રેક્ટિકલની પ્રેક્ટિસ તો કરે છે પરંતુ મુખ્ય મૂલ્યાંકન જે થાય છે તે વિદ્યાર્થીઓ પેપર લખે છે તેના પરથી થાય છે. જેમાં પ્રોગ્રામ લખવા માટેની ત્રણથી ચાર પ્રકારની અલગ અલગ મેથડ હોય છે. જોકે વિદ્યાર્થીઓ કઈ મેથડથી પ્રોગ્રામ લખેલો હોય તે કઈ રીતે મૂલ્યાંકિત થાય ? કારણકે આઉટપુટ બધામાં સરખું આવતું હોય છે. જેથી વિદ્યાર્થીના પ્રેક્ટિકલ વિષયનું સાચું મૂલ્યાંકન તે કોમ્પ્યુટર ઉપર બેસે ત્યારે થાય છે. જેથી મારા મતે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર બેસીને પ્રેક્ટિકલ પેપર આપે તે રીતે જ હોવુ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીની જો વાત કરવામાં આવે તો તમામ કોલેજો અને યુનિવર્સિટીમાં BCAના અભ્યાસક્રમમાં પ્રેક્ટિકલ વિષય આવે જ છે અને તેની પ્રેક્ટિકલ એક્ઝામ લેવાની હોય છે. GTUમાં 150 માર્કનું પેપર હોય તો તેમાં 70 માર્કનું થીયરી હોય 30 માર્ક ઇન્ટર્નલ હોય અને 50 માર્કનું પ્રેક્ટિકલ હોય છે. આ જ રીતે ગુજરાત વિદ્યાપીઠ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ વિષયની પરીક્ષામા પેપર પ્રેક્ટિકલ જ હોય છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા BCA સેમેસ્ટર 4ના પરિણામ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ આવેલા આ પરિણામમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે 1 થી 3 સેમેસ્ટરમાં રેન્કર હતા પરંતુ આ રેન્કર વિદ્યાર્થીઓ પણ સેમેસ્ટર 4ની પરીક્ષામાં આ એક જ પેપરમાં નાપાસ થયા છે. આ વિદ્યાર્થીઓ અમારી સામે કોમ્પ્યુટર ઉપર તમામ પ્રકારના પ્રોગ્રામ કઈ રીતે રન થાય છે તે બતાવે છે પરંતુ થિયરી પેપરમા વિદ્યાર્થીએ કઈ રીતે પ્રોગ્રામ લખેલો છે અને કઈ રીતે તેને ચેક કરવામાં આવ્યો છે તે જોવું મહત્વપૂર્ણ છે. BCA સેમેસ્ટર 1 થી 4માં નાપાસ થાય તો એક વર્ષ બાદ જ ફરી પરીક્ષા આપી શકાય આ ઉપરાંત આ અધ્યાપક પાસેથી અન્ય એક હકીકત એ પણ જાણવા મળી કે, સેમેસ્ટર 1થી 4માં કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો તેઓ સપ્લીમેન્ટરી પરીક્ષા આપી શકતા નથી તેઓ બીજા વર્ષે જ તે પરીક્ષા આપી શકે છે. માત્ર સેમેસ્ટર 5 અને 6મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં નાપાસ થાય તો તેઓ માટે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સપ્લીમેન્ટરી પરીક્ષા લેવામાં આવે છે. એટલે કે નાપાસ થયેલા 1450 વિદ્યાર્થીઓ હવે આ પેપર આવતા વર્ષે જ આપી શકશે. માઈનોર 3 પ્રેક્ટિકલ બેઝડ ઓન CS - 22,CS - 23,CS - 24 (4) એ કમ્બાઇન્ડ પ્રેક્ટિકલ પેપર છે એટલે કે તેમાં CS - 22 પ્રોગ્રામિંગ વિથ જાવા(4), CS -23 પ્રોગ્રામિંગ વિથ C# (4) અને CS - 24 ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટસ વિથ UNIX/LINUX એમ ત્રણેય વિષયનું પ્રેક્ટિકલ થિયરી પેપર સ્વરૂપે પૂછવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ અન્ય એક પણ યુનિવર્સિટીમાં નથી જેને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્ટર -4 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થયા છે. 'પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર નહીં થાય તો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જશે' પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, BCA સેમેસ્ટર 4નો જે પ્રેક્ટિકલનો વિષય છે તેની પરીક્ષા પ્રેક્ટિકલમાં જ લેવાવી જોઈએ. ગત વર્ષે કોલેજોની આ રજૂઆત હતી જે બાદ એકેડેમીક ઓફિસર ચંદ્રેશ કાનાબારે સમગ્ર બાબત KCGમાં મોકલી. જે બાદ KCGમાંથી એવો જવાબ મળ્યો કે તમે લેખિતમાં પરીક્ષા લો. પુરા ગુજરાતની એક પણ યુનિવર્સિટી પ્રેક્ટિકલની પરીક્ષા લેખિતમાં લેતી નથી. એકેડેમિક ઓફિસરના ખોટા આગ્રહને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલની પરીક્ષા લેખિતમાં લેવી પડી રહી છે. વિદ્યાર્થી જ્યારે પ્રેક્ટિકલના સ્ટેપ્સ લખે એ સ્ટેપ્સ મુજબ પ્રેક્ટિકલ યોગ્ય રીતે વર્કઆઉટ થાય છે કે નહીં તેનું કોઈ અધ્યાપક યોગ્ય મૂલ્યાંકન કરી શકે નહીં. યોગ્ય મૂલ્યાંકનના અભાવે વિદ્યાર્થીઓનું પરિણામ પણ બગડે છે. જેથી આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈને પ્રેક્ટિકલની પરીક્ષા પ્રેક્ટિકલમાં જ લેવામાં આવે તેવી અમારી સૌ કોઈ કોલેજ સંચાલકોની માંગણી છે. આ બાબતે કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન ડૉ. કુંભારાણાને રજૂઆત કરવામાં આવેલી છે કારણકે તેમની પણ જવાબદારી બને છે. તેમના દ્વારા પરિણામોનું મૂલ્યાંકન થવું જોઈએ અને વિચારવું જોઈએ કે શા માટે આ પ્રકારનું પરિણામ આવે છે. કોઈને સ્વિમિંગ કે ડ્રાઇવિંગ આવડે છે કે નહીં તે થીયરી પેપર લખાવીને નક્કી ન થઈ શકે. જો આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સારી ગણાતી બીસીએ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનમાં ઘટાડો જોવા મળશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow