જ્યાં સુધી મુદ્દો નહીં ઉકેલાય, ત્યાં સુધી કોઈ વાત નહીં:ટેરિફ અંગે ટ્રમ્પ ભારત સાથે વાત નહીં કરે, કહ્યું- પહેલા ટેરિફની વાત, પછી બીજું બધું; ભારત પર કુલ 50% ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વાતચીત શરૂ થશે નહીં. અગાઉ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવા માટે યુએસ અધિકારીઓની એક ટીમ આ મહિને ભારતની મુલાકાત લેશે. ભારત પર અમેરિકાનો કુલ ટેરિફ હવે 50% સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ટેરિફમાં 25% વધારો કર્યો હતો. વધેલો ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ ઉપરાંત ગુરુવારથી ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે રશિયન તેલ ખરીદવાને કારણે ભારત સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત વ્યૂહાત્મક ભાગીદાર, ખુલ્લી વાતચીત ચાલુ રહેશે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટેરિફ વિવાદને કારણે બંને દેશ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોવા છતાં અમેરિકા ભારત સાથે સ્પષ્ટ અને ખુલ્લી વાતચીત કરી રહ્યું છે. ટોમીના મતે ટ્રમ્પે વેપાર અસંતુલન અને રશિયન તેલની ખરીદી અંગે પોતાની ચિંતાઓ ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. તેમણે સીધી કાર્યવાહી (ભારત પર ટેરિફ) પણ કરી છે. ટોમીએ સીધા સંદેશાવ્યવહાર દ્વારા મતભેદોનો ઉકેલ લાવવા હાકલ કરી છે. ટ્રમ્પના સલાહકારે ભારતને ટેરિફકિંગ ગણાવ્યું ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારતને 'ટેરિફનો મહારાજા' કહ્યો છે. ગુરુવારે મીડિયા સાથે વાત કરતાં નવારોએ કહ્યું હતું કે ભારત અમેરિકન માલ પર વિશ્વમાં સૌથી વધુ ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો લાદે છે. આનાથી અમેરિકન ઉત્પાદનો માટે ભારતીય બજારમાં પ્રવેશ કરવો મુશ્કેલ બને છે. નવારોએ કહ્યું હતં કે ભારત રશિયન તેલ ખરીદવા માટે યુએસ ડોલરનો ઉપયોગ કરે છે. પછી રશિયા એ ડોલરનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે કરે છે, જે યુક્રેનમાં લોકોને મારી રહ્યા છે. પછી અમેરિકન કરદાતાઓએ યુક્રેનનું રક્ષણ કરવા માટે શસ્ત્રો પર ખર્ચ કરવો પડે છે. ગણિત બરાબર નથી. ચીન સામે સમાન પગલાં ન લેવાના સવાલ પર નવારોએ કહ્યું કે ચીન પર પહેલાંથી જ 50%થી વધુ ટેરિફ છે. અમે એવું કોઈ પગલું ભરવા માગતા નથી, જે અમને નુકસાન પહોંચાડે. ભારત પર સેકન્ડરી સેક્શન લાદવાની ચેતવણીઓ ટ્રમ્પે ભારત પર વધુ પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. બુધવારે રાત્રે પત્રકારોના સવાલોના જવાબ આપતાં તેમણે કહ્યું, માત્ર 8 કલાક થયા છે. હજુ ઘણું બધું થવાનું બાકી છે. ઘણા ગૌણ પ્રતિબંધો આવવાના છે. ભારત પર 25% વધારાની ટેરિફ લાદવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો ટ્રમ્પે આ જવાબ આપ્યો. ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકા ફક્ત ભારત પર જ કડક કેમ બન્યું, જ્યારે ચીન જેવા અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. સેકન્ડરી સેક્શન શું છે? આ એવા પ્રતિબંધો છે, જે સીધા કોઈ દેશ પર લાદવામાં આવતા નથી, પરંતુ ત્રીજા દેશ સાથેના તેના વેપાર સંબંધોને કારણે લાગુ કરવામાં આવે છે, એટલે કે ભારતને સીધા નિશાન બનાવવાને બદલે અમેરિકા એ કંપનીઓ અને બેંકો સામે કડક કાર્યવાહી કરી શકે છે, જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં સામેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે, જોકે ભારત હંમેશાં કહેતું આવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો તેના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- અમેરિકન કાર્યવાહી ગેરકાયદે ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે. મંત્રાલયે કહ્યું- અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખ્યું છે: "ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 25%નો વધારાનો ટેરિફ લાગુ થશે." જોકે આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે, જેમ કે જો માલ પહેલાંથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને એ એના માર્ગ પર હોય અથવા જો એ ચોક્કસ તારીખ પહેલાં યુએસમાં પહોંચી ગયો હોય. માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરીને તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હવે ભારત પર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે." કેટલાક ભારતીય માલ પર ટેરિફ લાગુ થશે નહીં ટ્રમ્પે 24 કલાકમાં વધારાનો ટેરિફ લાદવાની ધમકી આપી મંગળવારે આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 24 કલાકની અંદર ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા સાથે વેપાર કરીને યુક્રેન સામે રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યું છે. આ કારણે અમેરિકાએ કડક પગલાં લેવાની જરૂર છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. ગઈકાલે દવાઓ પર 250% ટેરિફની ધમકી આપી હતી ટ્રમ્પે ગઈકાલે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 250% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. CNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં ફાર્માસ્યુટિકલ્સ પર નાનો ટેરિફ લાદશે, પરંતુ પછી એને 150% અને પછી દોઢ વર્ષમાં 250% સુધી વધારી દેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે દવાઓ અમારા દેશમાં જ બને. તેમનું માનવું છે કે અમેરિકા ફા

What's Your Reaction?






