ઓપરેશન સિંદૂર બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક:PM મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે; કેબિનેટ સચિવ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કરશે

આજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં, મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ વર્ષની સિદ્ધિઓ અને પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી કેબિનેટ બેઠક છે. આ બેઠક સાંજે 5 વાગે સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક વડાપ્રધાનના સંબોધનથી શરૂ થશે. આ પછી, બધા મહત્વપૂર્ણ મંત્રાલયો એક વર્ષના કાર્યકાળની વિગતો રજૂ કરશે. બેઠક દરમિયાન, કેબિનેટ સચિવ ડૉ. ટીવી સોમનાથન એક વર્ષના કાર્યકાળમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને વિકાસ પ્રોજેક્ટ્સનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ પછી, વિદેશ સચિવ ઓપરેશન સિંદૂર પર પ્રેઝન્ટેશન આપશે. PM મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે PM મોદી તેમના સંબોધનમાં તેમની સરકારનો એજન્ડા રજૂ કરશે. તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન, PMએ ગયા વર્ષે 28 ઓગસ્ટના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં પરફોર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મનો સૂત્ર આપ્યું હતું. તેમણે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે નીતિઓમાં મહિલાઓ, ગરીબો, યુવાનો અને ખેડૂતોનો સમાવેશ કરવા પણ હાકલ કરી હતી. આ સંબોધનમાં, PM ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને 2047 સુધીમાં તેને વિકસિત દેશોમાં સામેલ કરવા માટેનો રોડમેપ રજૂ કરશે. ઓપરેશન સિંદૂર પર I.N.D.I.A બ્લોકની બેઠક, વિશેષ સત્ર બોલાવવાની માંગ 'ઓપરેશન સિંદૂર' પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં I.N.D.I.A બ્લોકે એક બેઠક યોજી હતી. તેમાં 16 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ પીએમને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) બેઠકમાં હાજર રહી ન હતી. ડેરેકે કહ્યું કે AAP બુધવારે વડાપ્રધાનને એક અલગથી પત્ર મોકલશે. 1 જૂનના રોજ પીએમ મોદીએ ભાજપ શાસિત મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જૂનના રોજ દિલ્હીમાં ભાજપ-NDA શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે- બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જાતિ વસ્તી ગણતરી તેમની સરકારના મોડેલ તરફ એક પગલું છે, જેના હેઠળ તેઓ દરેક ક્ષેત્રમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને પછાત લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવશે. નડ્ડાએ કહ્યું- ઓપરેશન સિંદૂર અને જાતિ વસ્તી ગણતરીનો પ્રસ્તાવ પસાર થયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પહેલો પ્રસ્તાવ ઓપરેશન સિંદૂર વિશે હતો, જે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યો હતો. આપણી સેનાના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે જાતિ વસ્તી ગણતરી અંગે એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. બધા નેતાઓ આ માટે સંમત થયા હતા અને આ નિર્ણય માટે મોદીજીની પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા. આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી, 10 મે સુધી, પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલા કર્યા. સરહદ પર ભારે ગોળીબાર પણ થયો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. દેશના 59 સાંસદોને 33 દેશોમાં મોકલવામાં આવ્યા છે જેથી તેઓ દુનિયાને ઓપરેશન સિંદૂરનો હેતુ અને પાકિસ્તાનનો સાચો ચહેરો ઉઘાડો પાડશે. 59 સાંસદોને 7 સર્વપક્ષીય ટીમો (ડેલિગેશન)માં વહેંચવામાં આવ્યા છે. 7 ટીમો સાથે 8 ભૂતપૂર્વ રાજદ્વારીઓ પણ છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 20 મેના રોજ સાંસદોને આ પહેલ અંગે માહિતી આપી હતી.

Jun 5, 2025 - 03:50
 0
ઓપરેશન સિંદૂર બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક:PM મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે; કેબિનેટ સચિવ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કરશે
આજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં, મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ વર્ષની સિદ્ધિઓ અને પહેલગામ હુમલા પછી શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી કેબિનેટ બેઠક છે. આ બેઠક સાંજે 5 વાગે સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક વડાપ્રધાનના સંબોધનથી શરૂ થશે. આ પછી, બધા મહત્વપૂર્ણ મંત્રાલયો એક વર્ષના કાર્યકાળની વિગતો રજૂ કરશે. બેઠક દરમિયાન, કેબિનેટ સચિવ ડૉ. ટીવી સોમનાથન એક વર્ષના કાર્યકાળમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને વિકાસ પ્રોજેક્ટ્સનો રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. આ પછી, વિદેશ સચિવ ઓપરેશન સિંદૂર પર પ્રેઝન્ટેશન આપશે. PM મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે PM મોદી તેમના સંબોધનમાં તેમની સરકારનો એજન્ડા રજૂ કરશે. તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન, PMએ ગયા વર્ષે 28 ઓગસ્ટના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં પરફોર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મનો સૂત્ર આપ્યું હતું. તેમણે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે નીતિઓમાં મહિલાઓ, ગરીબો, યુવાનો અને ખેડૂતોનો સમાવેશ કરવા પણ હાકલ કરી હતી. આ સંબોધનમાં, PM ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને 2047 સુધીમાં તેને વિકસિત દેશોમાં સામેલ કરવા માટેનો રોડમેપ રજૂ કરશે. ઓપરેશન સિંદૂર પર I.N.D.I.A બ્લોકની બેઠક, વિશેષ સત્ર બોલાવવાની માંગ 'ઓપરેશન સિંદૂર' પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં I.N.D.I.A બ્લોકે એક બેઠક યોજી હતી. તેમાં 16 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ પીએમને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) બેઠકમાં હાજર રહી ન હતી. ડેરેકે કહ્યું કે AAP બુધવારે વડાપ્રધાનને એક અલગથી પત્ર મોકલશે. 1 જૂનના રોજ પીએમ મોદીએ ભાજપ શાસિત મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જૂનના રોજ દિલ્હીમાં ભાજપ-NDA શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. PTIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે- બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે જાતિ વસ્તી ગણતરી તેમની સરકારના મોડેલ તરફ એક પગલું છે, જેના હેઠળ તેઓ દરેક ક્ષેત્રમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને પછાત લોકોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવશે. નડ્ડાએ કહ્યું- ઓપરેશન સિંદૂર અને જાતિ વસ્તી ગણતરીનો પ્રસ્તાવ પસાર થયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પહેલો પ્રસ્તાવ ઓપરેશન સિંદૂર વિશે હતો, જે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યો હતો. આપણી સેનાના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે જાતિ વસ્તી ગણતરી અંગે એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. બધા નેતાઓ આ માટે સંમત થયા હતા અને આ નિર્ણય માટે મોદીજીની પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન આપ્યા હતા. આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ પછી, 10 મે સુધી, પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલા કર્યા. સરહદ પર ભારે ગોળીબાર પણ થયો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. દેશના 59 સાંસદોને 33 દેશોમાં મોકલવામાં આવ્યા છે જેથી તેઓ દુનિયાને ઓપરેશન સિંદૂરનો હેતુ અને પાકિસ્તાનનો સાચો ચહેરો ઉઘાડો પાડશે. 59 સાંસદોને 7 સર્વપક્ષીય ટીમો (ડેલિગેશન)માં વહેંચવામાં આવ્યા છે. 7 ટીમો સાથે 8 ભૂતપૂર્વ રાજદ્વારીઓ પણ છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 20 મેના રોજ સાંસદોને આ પહેલ અંગે માહિતી આપી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow