લોન સસ્તી થશે, RBIએ વ્યાજદરમાં પોઈન્ટ 0.50નો બેઝિસ ઘટાડો કર્યો:20 વર્ષમાં 20 લાખની લોન પર લગભગ 1.48 લાખનો ફાયદો; સમજો આખું ગણિત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વ્યાજદર 0.50% ઘટાડીને 5.50% કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો EMI પણ ઘટશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 જૂને સવારે 10 વાગ્યે નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક 4 જૂને શરૂ થઈ હતી. આ વર્ષે રેપો રેટમાં કુલ 1%નો ઘટાડો કરવામાં આવ્યો આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 6.5%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી નાણાકીય નીતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજદરમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત દર ઘટાડવામાં આવ્યો છે, એટલે કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ વખત વ્યાજદરમાં 1% ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘટાડાથી કયા ફેરફારો થશે? રેપો રેટમાં ઘટાડા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજદરો પણ ઘટાડી શકે છે. જો વ્યાજદર ઘટાડવામાં આવે તો હાઉસિંગની માગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. આનાથી રિયલ એસ્ટેટક્ષેત્રને પ્રોત્સાહન મળશે. RBIએ ફુગાવાનો અંદાજ ઘટાડ્યો, GDPનો અંદાજ યથાવત્ રાખ્યો રેપો રેટમાં ઘટાડાથી કયા ફેરફારો થશે? રેપો રેટ ઘટ્યા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજદરો પણ ઘટાડી શકે છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને EMI પણ ઘટશે. જો વ્યાજદર ઘટશે તો મકાનોની માગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. રેપો રેટ શું છે, એ લોન કેવી રીતે સસ્તી બનાવે છે? RBI બેંકોને જે વ્યાજદરે લોન આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકને ઓછા વ્યાજદરે લોન મળશે. બેંકોમાંથી લોન સસ્તી મળે છે, તેથી તેઓ ઘણીવાર આ લાભ તેમના ગ્રાહકોને આપે છે, એટલે કે બેંકો પણ તેમના વ્યાજદર ઘટાડે છે. રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો અને ઘટાડો શા માટે કરે છે? કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ હોય છે. જ્યારે ફુગાવો ખૂબ વધુ હોય છે ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં મની ફ્લો ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો પોલિસી રેટ વધુ હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાંનો પ્રવાહ ઘટે છે ત્યારે માગ ઘટે છે અને મોંઘવારી ઘટે છે. એવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે મની ફ્લો વધારવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આના કારણે બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. સામાન્ય રીતે RBIની બેઠક દર બે મહિને યોજાય છે મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્ય હોય છે. આમાંથી 3 RBIના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે RBIની બેઠકો દર બે મહિને યોજાય છે. હાલમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠક યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ હતી

What's Your Reaction?






