નોકરાણી સાથે બળાત્કારના કેસમાં પ્રજ્વલને આજીવન કેદ:કોર્ટે પૂર્વ PMના પૌત્રને દોષિત ઠેરવ્યો, પીડિતોને 7 લાખ વળતર ચૂકવવા આદેશ; પેનડ્રાઇવમાંથી હજારો અશ્લીલ વીડિયો મળ્યા હતા

શનિવારે બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે જેડીએસના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે રેવન્નાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શુક્રવારે રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. રેવન્નાએ કોર્ટમાં ઓછી સજા માટે અપીલ કરી હતી, અને દાવો કર્યો હતો કે તેણે કંઈ ખોટું કર્યું નથી. રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય મહિલાએ ગયા વર્ષે એપ્રિલમાં રેવન્ના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આમાં રેવન્નાએ 2021થી ઘણી વખત તેના પર બળાત્કાર કરવાનો અને ઘટના વિશે કોઈને જણાવવા પર વીડિયો લીક કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. કોર્ટે 18 જુલાઈના રોજ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. રેવન્ના વિરુદ્ધ બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને અશ્લીલ તસવીરો લીક કરવા સહિત અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. તેની સામે કુલ 4 બળાત્કારના કેસ નોંધાયા છે. આ કેસમાંથી આ પહેલો કેસ છે, જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પ્રજ્વલ પર અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ ગયા વર્ષે કર્ણાટક સેક્સકૌભાંડમાં આવ્યા બાદ પ્રજ્વલ રેવન્નાનું નામ સમાચારમાં આવ્યું હતું. તેના પર 50થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. અત્યારસુધીમાં તેની સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપમાં 4 FIR નોંધાઈ છે. ગયા વર્ષે રેવન્નાના 2,000થી વધુ અશ્લીલ વીડિયો-ક્લિપ્સ તેના સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં રેવન્નાએ કર્ણાટકની હસન સંસદીય બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડી હતી, પરંતુ તે તેની સાંસદ બેઠક બચાવી શક્યો નહોતો. તેની સામે કેસ નોંધાયા બાદ JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યો હતો. કર્ણાટક સેક્સકૌભાંડ શું છે? પ્રજ્વલ દેશ છોડીને 35 દિવસ સુધી ગાયબ રહ્યો, એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ કર્ણાટક સેક્સકૌભાંડમાં નામ આવ્યા પહેલાં પ્રજ્વલ રેવન્ના 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત હતો. તે કર્ણાટકની હસન બેઠક પરથી વર્તમાન સાંસદ હતો. તે અહીંથી 2024ની લોકસભા ચૂંટણી પણ લડ્યો હતો. હસન લોકસભા બેઠક માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન તે જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલો હતો. ચૂંટણીના બીજા દિવસે, 27 એપ્રિલે પ્રજ્વલ દેશ છોડીને જર્મની ગયો. ત્યાર બાદ 35 દિવસ પછી 31 મેના રોજ જ્યારે તે જર્મનીથી ભારત પહોંચ્યો ત્યારે પોલીસે તેની બેંગલુરુ એરપોર્ટ પરથી જ ધરપકડ કરી. પ્રજ્વલે 27 મેના રોજ વીડિયો રિલીઝ કર્યો હતો કર્ણાટક સેક્સકૌભાંડના આરોપી પ્રજ્વલ રેવન્નાએ 27 મે, 2024ના રોજ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું- 'હું 31 મે, 2024ના રોજ SIT સમક્ષ હાજર થઈશ. મારા પરના બધા આરોપો ખોટા છે. મને કોર્ટમાં વિશ્વાસ છે અને હું માનું છું કે હું કોર્ટ દ્વારા ખોટા કેસમાંથી બહાર આવીશ.' દાદા દેવગૌડાએ ભારત પાછા ફરવાની ચેતવણી આપી હતી પ્રજ્વલના ભારત પાછા ફરવાના નિવેદનનો વીડિયો 23 મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને તેના દાદાની ચેતવણીના 3 દિવસ પછી આવ્યો હતો. દેવગૌડાએ કહ્યું હતું કે પ્રજ્વલે ભારત પાછા ફરવું જોઈએ અને તપાસનો સામનો કરવો જોઈએ. આ કેસની તપાસમાં અમારા પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. દેવેગૌડાએ કહ્યું હતું કે હું પ્રજ્વલને વિનંતી નથી કરી રહ્યો, પરંતુ તેને ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી નહીં સાંભળે તો તેને મારા અને આખા પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે, પરંતુ જો તે મારી વાત નહીં સાંભળે તો અમે તેને એકલો છોડી દઈશું. પ્રજ્વલે કહ્યું- હું મારાં માતા-પિતા, દાદાની માફી માગું છું એક કન્નડ ટીવી ચેનલને મોકલવામાં આવેલા એક વીડિયોમાં પ્રજ્વલે કહ્યું હતું કે “સૌપ્રથમ, હું મારાં માતા-પિતા, મારા દાદા, કુમારસ્વામી અને મારા પક્ષના કાર્યકરો અને રાજ્યના લોકો પાસે માફી માગું છું. હું ક્યાં છું એ હું કહેતો નથી. જ્યારે 26મી (એપ્રિલ)ના રોજ ચૂંટણી યોજાઈ હતી ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો. ત્યારે કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. મારી વિદેશયાત્રા પહેલાંથી જ નક્કી હતી. તો મને યુટ્યૂબ અને સમાચાર દ્વારા તેના વિશે ખબર પડી, પછી મને મારા એકાઉન્ટ દ્વારા SIT તરફથી નોટિસ પણ આપવામાં આવી. મારી પાસે હાજર થવા માટે 7 દિવસ છે.

Aug 2, 2025 - 21:21
 0
નોકરાણી સાથે બળાત્કારના કેસમાં પ્રજ્વલને આજીવન કેદ:કોર્ટે પૂર્વ PMના પૌત્રને દોષિત ઠેરવ્યો, પીડિતોને 7 લાખ વળતર ચૂકવવા આદેશ; પેનડ્રાઇવમાંથી હજારો અશ્લીલ વીડિયો મળ્યા હતા
શનિવારે બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે જેડીએસના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે રેવન્નાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શુક્રવારે રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. રેવન્નાએ કોર્ટમાં ઓછી સજા માટે અપીલ કરી હતી, અને દાવો કર્યો હતો કે તેણે કંઈ ખોટું કર્યું નથી. રેવન્નાના પરિવારના ફાર્મહાઉસમાં કામ કરતી 47 વર્ષીય મહિલાએ ગયા વર્ષે એપ્રિલમાં રેવન્ના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આમાં રેવન્નાએ 2021થી ઘણી વખત તેના પર બળાત્કાર કરવાનો અને ઘટના વિશે કોઈને જણાવવા પર વીડિયો લીક કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. કોર્ટે 18 જુલાઈના રોજ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. રેવન્ના વિરુદ્ધ બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને અશ્લીલ તસવીરો લીક કરવા સહિત અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. તેની સામે કુલ 4 બળાત્કારના કેસ નોંધાયા છે. આ કેસમાંથી આ પહેલો કેસ છે, જેમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે. પ્રજ્વલ પર અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ ગયા વર્ષે કર્ણાટક સેક્સકૌભાંડમાં આવ્યા બાદ પ્રજ્વલ રેવન્નાનું નામ સમાચારમાં આવ્યું હતું. તેના પર 50થી વધુ મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. અત્યારસુધીમાં તેની સામે બળાત્કાર, છેડતી, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાના આરોપમાં 4 FIR નોંધાઈ છે. ગયા વર્ષે રેવન્નાના 2,000થી વધુ અશ્લીલ વીડિયો-ક્લિપ્સ તેના સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં રેવન્નાએ કર્ણાટકની હસન સંસદીય બેઠક પરથી બીજી વખત ચૂંટણી લડી હતી, પરંતુ તે તેની સાંસદ બેઠક બચાવી શક્યો નહોતો. તેની સામે કેસ નોંધાયા બાદ JDSએ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યો હતો. કર્ણાટક સેક્સકૌભાંડ શું છે? પ્રજ્વલ દેશ છોડીને 35 દિવસ સુધી ગાયબ રહ્યો, એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ કર્ણાટક સેક્સકૌભાંડમાં નામ આવ્યા પહેલાં પ્રજ્વલ રેવન્ના 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વ્યસ્ત હતો. તે કર્ણાટકની હસન બેઠક પરથી વર્તમાન સાંસદ હતો. તે અહીંથી 2024ની લોકસભા ચૂંટણી પણ લડ્યો હતો. હસન લોકસભા બેઠક માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન તે જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલો હતો. ચૂંટણીના બીજા દિવસે, 27 એપ્રિલે પ્રજ્વલ દેશ છોડીને જર્મની ગયો. ત્યાર બાદ 35 દિવસ પછી 31 મેના રોજ જ્યારે તે જર્મનીથી ભારત પહોંચ્યો ત્યારે પોલીસે તેની બેંગલુરુ એરપોર્ટ પરથી જ ધરપકડ કરી. પ્રજ્વલે 27 મેના રોજ વીડિયો રિલીઝ કર્યો હતો કર્ણાટક સેક્સકૌભાંડના આરોપી પ્રજ્વલ રેવન્નાએ 27 મે, 2024ના રોજ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું- 'હું 31 મે, 2024ના રોજ SIT સમક્ષ હાજર થઈશ. મારા પરના બધા આરોપો ખોટા છે. મને કોર્ટમાં વિશ્વાસ છે અને હું માનું છું કે હું કોર્ટ દ્વારા ખોટા કેસમાંથી બહાર આવીશ.' દાદા દેવગૌડાએ ભારત પાછા ફરવાની ચેતવણી આપી હતી પ્રજ્વલના ભારત પાછા ફરવાના નિવેદનનો વીડિયો 23 મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને તેના દાદાની ચેતવણીના 3 દિવસ પછી આવ્યો હતો. દેવગૌડાએ કહ્યું હતું કે પ્રજ્વલે ભારત પાછા ફરવું જોઈએ અને તપાસનો સામનો કરવો જોઈએ. આ કેસની તપાસમાં અમારા પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. દેવેગૌડાએ કહ્યું હતું કે હું પ્રજ્વલને વિનંતી નથી કરી રહ્યો, પરંતુ તેને ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી નહીં સાંભળે તો તેને મારા અને આખા પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે, પરંતુ જો તે મારી વાત નહીં સાંભળે તો અમે તેને એકલો છોડી દઈશું. પ્રજ્વલે કહ્યું- હું મારાં માતા-પિતા, દાદાની માફી માગું છું એક કન્નડ ટીવી ચેનલને મોકલવામાં આવેલા એક વીડિયોમાં પ્રજ્વલે કહ્યું હતું કે “સૌપ્રથમ, હું મારાં માતા-પિતા, મારા દાદા, કુમારસ્વામી અને મારા પક્ષના કાર્યકરો અને રાજ્યના લોકો પાસે માફી માગું છું. હું ક્યાં છું એ હું કહેતો નથી. જ્યારે 26મી (એપ્રિલ)ના રોજ ચૂંટણી યોજાઈ હતી ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો. ત્યારે કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. મારી વિદેશયાત્રા પહેલાંથી જ નક્કી હતી. તો મને યુટ્યૂબ અને સમાચાર દ્વારા તેના વિશે ખબર પડી, પછી મને મારા એકાઉન્ટ દ્વારા SIT તરફથી નોટિસ પણ આપવામાં આવી. મારી પાસે હાજર થવા માટે 7 દિવસ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow