શાળામાં કાર્યક્રમ:ભવિષ્યનું સર્જન કરવા ‘રૂપાંતર’ કાર્યક્રમ
મહુવા બેલુર વિદ્યાલયમાં રૂપાંતર કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ડાયરેક્ટર આર. એચ. હડિયા (Ex. Dy.SP, શૌર્યચક્ર પુરસ્કૃત)ની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવેલ હતુ.MD બી. સી. લાડુમોર તથા આચાર્ય તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.બાળકોના ભવિષ્યનું સર્જન કરવા ‘રૂપાંતર’ કાર્યક્રમના વેસ્ટ ઝોનના કો-ઓર્ડિનેટર ડૉ. છાયાબેન પારેખના માર્ગદર્શન નીચે મહુવાની બેલુર વિદ્યાલયમાં પ્રથમ સેશન યોજાયેલ. બેલુર વિદ્યાલયના 460 જેટલા બેલુર બર્ડઝ રૂપાંતર કાર્યક્રમમાં ભાગ લઇ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

What's Your Reaction?






