હવે એક અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે:દેશમાં ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન નિયમ લાગુ; રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો પસાર થયો

હવે દેશની ત્રણેય સેનાના સૈનિકો સામે ફક્ત એક જ અધિકારી કાર્યવાહી કરી શકશે. 27 મેથી ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. નવા કાયદાથી ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન હેઠળ કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઇન-કમાન્ડની નિમણૂક થશે. આ કમાન્ડર સૈનિકોને નિયંત્રિત કરી શકશે અને કાર્યવાહી કરી શકશે. પછી ભલે સૈનિક કોઈપણ સૈન્ય સાથે સંકળાયેલો હોય. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો પસાર થયો બે વર્ષ પહેલાં ચોમાસુ સત્રમાં સંસદમાં ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 2023ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ એ 10 મે 2024થી અમલમાં આવ્યું. સરકારે બુધવારે ગેઝેટ દ્વારા નવા નિયમોને સત્તાવાર રીતે સૂચિત પણ કર્યા છે. નવા નિયમોમાં 3 ફેરફાર... 1. આદેશ હવે: નવા નિયમ હેઠળ, કોઈપણ સેવા અધિકારી (જેમ કે આર્મી ઓફિસર) ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા કોઈપણ અન્ય સેવા (જેમ કે નેવી અથવા એરફોર્સ)ના સૈનિકોને કમાન્ડ કરી શકશે. પહેલાં: અગાઉ આવા અધિકારો ફક્ત સંબંધિત સેવામાં જ મર્યાદિત હતા. આનાથી ઘણીવાર કામગીરીમાં અવરોધો ઊભા થતા હતા, કારણ કે નૌકાદળના અધિકારી ફક્ત નૌકાદળના કર્મચારીઓને જ આદેશ આપી શકતા હતા. 2. નિયંત્રણ હવે: નવા નિયમો હેઠળ ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા તમામ સૈનિકો એક અધિકારી હેઠળ નિયંત્રિત થશે. વહીવટી સત્તાઓ સંબંધિત અધિકારીને આપવામાં આવશે. તે કોઈપણ સેના (સેના, નૌકાદળ, વાયુસેના)ના સૈનિકોને લગતા નિર્ણયો લઈ શકે છે. પહેલાં: જૂનો નિયમ ચોક્કસ સેવાના અનન્ય કાર્યકારી વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સૈનિકોને વહીવટી કાર્યવાહી માટે તેમના મૂળ સેવા એકમોમાં પાછા મોકલવાની જરૂર હતી. આમાં ફક્ત વધુ સમય જ નહોતો લાગતો, પરંતુ સૈનિકની હિલચાલને કારણે પૈસા પણ ખર્ચાતા હતા. 3. શિસ્ત હવે: નવો નિયમ એકમ અથવા સ્થાપનાના સૈનિકોને એક કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ અનુશાસનહીનતાનો કોઈ મામલો પ્રકાશમાં આવે છે ત્યારે એના વિશે ઝડપથી નિર્ણય લઈ શકાય છે. પહેલાં: જો ક્યાંક શિસ્તભંગ થયો હોય તો શિસ્તભંગના એ એક કેસ માટે ત્રણ અલગ અલગ જગ્યાએ કાર્યવાહી થતી. જ્યારે કાર્યવાહી ત્રણ અલગ અલગ સ્થળે થાય છે, ત્યારે શક્ય છે કે પરિણામ ત્રણ અલગ અલગ રીતે પણ બહાર આવે. આ સમાચાર પણ વાંચો... ભાજપના સાંસદે કહ્યું- આતંકવાદીઓ ફરીથી હુમલાની તૈયારીમાં હતા, માટે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું ભાજપના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ કહ્યું હતું કે 22 એપ્રિલે પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ ફરીથી ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેથી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદીઓનાં ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો...

Jun 1, 2025 - 02:44
 0
હવે એક અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે:દેશમાં ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન નિયમ લાગુ; રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો પસાર થયો
હવે દેશની ત્રણેય સેનાના સૈનિકો સામે ફક્ત એક જ અધિકારી કાર્યવાહી કરી શકશે. 27 મેથી ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. નવા કાયદાથી ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન હેઠળ કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઇન-કમાન્ડની નિમણૂક થશે. આ કમાન્ડર સૈનિકોને નિયંત્રિત કરી શકશે અને કાર્યવાહી કરી શકશે. પછી ભલે સૈનિક કોઈપણ સૈન્ય સાથે સંકળાયેલો હોય. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ કાયદો પસાર થયો બે વર્ષ પહેલાં ચોમાસુ સત્રમાં સંસદમાં ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 2023ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ એ 10 મે 2024થી અમલમાં આવ્યું. સરકારે બુધવારે ગેઝેટ દ્વારા નવા નિયમોને સત્તાવાર રીતે સૂચિત પણ કર્યા છે. નવા નિયમોમાં 3 ફેરફાર... 1. આદેશ હવે: નવા નિયમ હેઠળ, કોઈપણ સેવા અધિકારી (જેમ કે આર્મી ઓફિસર) ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા કોઈપણ અન્ય સેવા (જેમ કે નેવી અથવા એરફોર્સ)ના સૈનિકોને કમાન્ડ કરી શકશે. પહેલાં: અગાઉ આવા અધિકારો ફક્ત સંબંધિત સેવામાં જ મર્યાદિત હતા. આનાથી ઘણીવાર કામગીરીમાં અવરોધો ઊભા થતા હતા, કારણ કે નૌકાદળના અધિકારી ફક્ત નૌકાદળના કર્મચારીઓને જ આદેશ આપી શકતા હતા. 2. નિયંત્રણ હવે: નવા નિયમો હેઠળ ઇન્ટર-સર્વિસીઝ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા તમામ સૈનિકો એક અધિકારી હેઠળ નિયંત્રિત થશે. વહીવટી સત્તાઓ સંબંધિત અધિકારીને આપવામાં આવશે. તે કોઈપણ સેના (સેના, નૌકાદળ, વાયુસેના)ના સૈનિકોને લગતા નિર્ણયો લઈ શકે છે. પહેલાં: જૂનો નિયમ ચોક્કસ સેવાના અનન્ય કાર્યકારી વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સૈનિકોને વહીવટી કાર્યવાહી માટે તેમના મૂળ સેવા એકમોમાં પાછા મોકલવાની જરૂર હતી. આમાં ફક્ત વધુ સમય જ નહોતો લાગતો, પરંતુ સૈનિકની હિલચાલને કારણે પૈસા પણ ખર્ચાતા હતા. 3. શિસ્ત હવે: નવો નિયમ એકમ અથવા સ્થાપનાના સૈનિકોને એક કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ અનુશાસનહીનતાનો કોઈ મામલો પ્રકાશમાં આવે છે ત્યારે એના વિશે ઝડપથી નિર્ણય લઈ શકાય છે. પહેલાં: જો ક્યાંક શિસ્તભંગ થયો હોય તો શિસ્તભંગના એ એક કેસ માટે ત્રણ અલગ અલગ જગ્યાએ કાર્યવાહી થતી. જ્યારે કાર્યવાહી ત્રણ અલગ અલગ સ્થળે થાય છે, ત્યારે શક્ય છે કે પરિણામ ત્રણ અલગ અલગ રીતે પણ બહાર આવે. આ સમાચાર પણ વાંચો... ભાજપના સાંસદે કહ્યું- આતંકવાદીઓ ફરીથી હુમલાની તૈયારીમાં હતા, માટે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું ભાજપના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ કહ્યું હતું કે 22 એપ્રિલે પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ ફરીથી ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા, તેથી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદીઓનાં ઠેકાણાં પર હવાઈ હુમલા કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow