સુરેન્દ્રનગરમાં 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નો પ્રારંભ:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનું ઉદ્ઘાટન કર્યું, ઋષિ વેશમાં વિદ્યાર્થીઓ જોડાયા

સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-2025 અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રા અલ્ટ્રાવિઝન શાળાથી શરૂ થઈને શ્રી એસ.એન. વિદ્યાલય સુધી પહોંચી. તેમણે વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો અને ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. સંસ્કૃત દેવોની ભાષા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે. તેમણે ઉમેર્યું કે સંસ્કૃત ભાષા જન-જન સુધી પહોંચે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના અને સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ જેવા સપ્ત ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સહિત સંસ્કૃત પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Aug 6, 2025 - 14:39
 0
સુરેન્દ્રનગરમાં 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નો પ્રારંભ:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનું ઉદ્ઘાટન કર્યું, ઋષિ વેશમાં વિદ્યાર્થીઓ જોડાયા
સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-2025 અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રા અલ્ટ્રાવિઝન શાળાથી શરૂ થઈને શ્રી એસ.એન. વિદ્યાલય સુધી પહોંચી. તેમણે વૈદિક મંત્રોચાર સાથે યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. આપણી વિરાસત, સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો અને ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. સંસ્કૃત દેવોની ભાષા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે. તેમણે ઉમેર્યું કે સંસ્કૃત ભાષા જન-જન સુધી પહોંચે તે હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના અને સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ જેવા સપ્ત ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા સહિત સંસ્કૃત પ્રેમી લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow