RCBની IPL જીતની ઉજવણી મોતના તાંડવમાં ફેરવાઈ:10 દિવસમાં ત્રીજી નાસભાગ; 3 વર્ષ પહેલાં ઇન્ડોનેશિયામાં 174 લોકોનાં મોત થયાં; જુઓ દુનિયાની 10 મોટી સ્પોર્ટ્સ દુર્ઘટના
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણી મોતના તાંડવમાં ફેરવાઈ ગઈ. ટીમે મંગળવારે અમદાવાદમાં ફાઇનલમાં પંજાબને હરાવ્યું. બુધવારે ટીમ વિક્ટ્રી પરેડ માટે બેંગલુરુ પહોંચી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. સ્પોર્ટ્સની દુનિયામાં છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે વિજયનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો. 9 દિવસ પહેલાં ફૂટબોલ ટીમ લિવરપૂલે ઈંગ્લેન્ડમાં EPL જીતવાની ઉજવણી કરી હતી. આ દરમિયાન ટ્રાફિકથી પરેશાન 53 વર્ષીય એક વ્યક્તિએ ચાહકો પર પોતાની કાર ચડાવી દીધી હતી. ભાગદોડમાં 109 લોકો ઘાયલ થયા હતા. 1 જૂનના રોજ PSG ફૂટબોલ ટીમે ચેમ્પિયન્સ લીગ જીત્યા બાદ ફ્રાન્સમાં વિક્ટ્રી પરેડ યોજાઈ હતી, જેમાં 2 લોકો માર્યા ગયા હતા અને 190 લોકો ઘાયલ થયા હતા. રમતગમત દરમિયાન 10 મોટી દુર્ઘટના... 1. 24 મે 1964, પેરુમાં 328નાં મોત પેરુના લીમા શહેરમાં આર્જેન્ટીના અને પેરુ વચ્ચે ટોક્યો ઓલિમ્પિક માટે ફૂટબોલ ક્વોલિફાઇંગ મેચ ચાલી રહી હતી. મેચમાં પેરુના ખેલાડીઓએ છેલ્લી મિનિટોમાં ગોલ કર્યો હતો. એને રેફરીએ ખોટો ગણાવ્યો હતો અને ઘરઆંગણાની ટીમને ગોલ આપ્યો નહોતો. રેફરીના નિર્ણયથી ગુસ્સે ભરાયેલા ચાહકોએ હિંસા શરૂ કરી દીધી. પોલીસ અને સ્ટેડિયમ સુરક્ષાએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડને કાબૂમાં કરી શકાઈ નહીં. અધિકારીઓએ જણાવ્યું હુતં કે 2 પોલીસકર્મી સહિત 328 લોકોનાં મોત થયાં છે. આ ખેલ જગતનો સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. દુર્ઘટના બાદ સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા ઘટાડવામાં આવી હતી. 2. 1 ઓક્ટોબર, 2022, ઇન્ડોનેશિયામાં 174 લોકોનાં મોત કંજુરુહાન સ્ટેડિયમ ખાતે અરેમા ક્લબ અને પર્સેબાયા સુરબાયા વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ હતી. 42 હજાર દર્શકની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં મોટા ભાગના ચાહકો અરેમા ટીમના હતા, પરંતુ પર્સેબાયાએ ઘરઆંગણાની ટીમને 3-2થી હરાવી હતી. અરેમા બે દાયકામાં પહેલીવાર પર્સેબાયા સામે હારી ગઈ. ફાઈનલ ટાઈમ શરૂ થતાં જ અરેમાના ચાહકો મેદાનમાં ઘૂસી ગયા. તેમણે પર્સેબાયાના ખેલાડીઓ અને અધિકારીઓ પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા. ચાહકો ડરથી એક્ઝિટ ગેટ તરફ દોડી ગયા, જેના કારણે નાસભાગ મચી ગઈ. ચાહકોએ મેદાનની બહાર 5 પોલીસ કારને આગ ચાંપી દીધી, નાસભાગ વધી ગઈ, જેમાં 174 લોકો મૃત્યુ પામ્યા હતા. 3. 9 મે, 2001, ઘાનામાં 126 લોકોનાં મોત અક્રાના ઓહેન યાન સ્ટેડિયમમાં હાર્ટ્સ ઓફ ઓક અને અસાંતે કોટોકો વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ હતી. ઓક ટીમે મેચ 2-1થી જીતી હતી, જેના કારણે ગુસ્સે ભરાયેલા કોટોકોના ચાહકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કર્યું હતું. ભીડની કાર્યવાહી બાદ પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા, એના ડરી ગયેલા ચાહકોમાં નાસભાગ મચી ગઈ. તેઓ દરવાજા તરફ દોડવા લાગ્યા, પરંતુ દરવાજા બંધ હતા. ટિયરગેસના શેલને કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા, બાકીના ચાહકો તેમના પર દોડવા લાગ્યા. આના પરિણામે 126 લોકો મૃત્યુ પામ્યા. 4. 15 એપ્રિલ ૧1989, ઇંગ્લેન્ડમાં 96 લોકોનાં મોત શેફિલ્ડના હિલ્સબોરો સ્ટેડિયમમાં FA કપ સેમિફાઇનલ લિવરપૂલ અને નોટિંગહામ વચ્ચે રમવાની હતી. મેચ જોવા માટે અપેક્ષા કરતાં વધુ દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા. આ જોઈને સુરક્ષાકર્મીઓએ ગેટ નંબર-સી પણ ખોલી નાખ્યો, જે પહેલા બંધ હતો. ગેટ ખૂલવાની માહિતી મળતાં જ દર્શકો એક બાજુથી બીજી બાજુ દોડી ગયા. એના કારણે નાસભાગ મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા, પરંતુ એનાથી મુશ્કેલીમાં વધારો થયો. એના કારણે 96 લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માતમાં 766 લોકો ઘાયલ પણ થયા. મેચ રદ કરવામાં આવી અને બીજા વર્ષે સેમિફાઇનલ યોજાઈ. 5. 12 માર્ચ 1988, નેપાળ કાઠમાંડુના દશરથ સ્ટેડિયમમાં જનકપુર સિગારેટ ફેક્ટરી ક્લબ અને બાંગ્લાદેશની મુક્તિજોધા સંગસદ વચ્ચે મેચ રમાઈ હતી. વિજેતા ટીમ ત્રિભુવન ચેલેન્જ શીલ્ડ પર કબજો કરી શકી હોત. મેચ દરમિયાન સ્ટેડિયમમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદ શરૂ થયો. વાવાઝોડું એટલું ભયંકર હતું કે લોકો સ્ટેડિયમની બહાર દોડવા લાગ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ, જેમાં 80 લોકોએ જીવ ગુમાવ્યા, 100થી વધુ ઘાયલ પણ થયા. 6. 1 ફેબ્રુઆરી 2012, ઇજિપ્તમાં 74 લોકોનાં મોત પોર્ટ સૈદ સ્ટેડિયમ ખાતે અલ મસ્ત્રી અને અલ અહલી વચ્ચે ઇજિપ્ત પ્રીમિયર લીગ ફૂટબોલ મેચ રમાઈ હતી. અલ મસ્ત્રીએ મેચ 3-1થી જીતી હતી, ત્યાર બાદ ટીમના ચાહકોએ અલ અહલીના ચાહકો પર હુમલો કર્યો હતો. તેમણે પથ્થરો, છરીઓ, બોટલો અને ફટાકડાથી હુમલો કર્યો હતો. હુમલાથી બચવા માટે લોકો દરવાજા તરફ દોડ્યા, પરંતુ સુરક્ષા અને પોલીસે દરવાજા ખોલવાનો ઇનકાર કર્યો. એનાથી નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં 74 લોકોએ જીવ ગુમાવ્યા. દેશનાં ઘણાં શહેરોમાં પોલીસના વલણ પર ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ 47 લોકો સહિત 9 પોલીસ અધિકારીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમાંથી 11 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 7. 29 મે 1985, બેલ્જિયમમાં 39 લોકોનાં મોત બ્રસેલ્સના હેસેલ સ્ટેડિયમમાં લિવરપૂલ અને યુવેન્ટસ વચ્ચે યુરોપિયન ક્લબ ફાઇનલ રમાઈ હતી. મેચ શરૂ થાય તે પહેલાં જ લિવરપૂલના ચાહકો સ્ટેડિયમમાં દિવાલ કૂદીને યુવેન્ટસના ચાહકો પર હુમલો કરવા દોડી ગયા હતા. જેના કારણે દિવાલ ફેન્સ પર પડી હતી, અકસ્માતમાં 39 લોકોના મોત થયા હતા. સેંકડો ઘાયલ થયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે અકસ્માત પછી પણ, મેચ 58 હજાર દર્શકોની હાજરીમાં રમાઈ હતી. યુવેન્ટસે ફાઇનલ 1-0થી જીતી હતી. યુરોપિયન ફૂટબોલ એસોસિએશન (UEFA) ને અકસ્માતની માહિતી મળી, જેણે અંગ્રેજી ક્લબને 5 વર્ષ માટે યુરોપિયન ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો. 8. 18 નવેમ્બર 2009, અલ્જીરિયામાં 18 લોકોનાં મોત 2010ના વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન મેચ અલ્જીરિયન ફૂટબોલ સ્ટેડિયમમાં અલ્જીરિયા અને ઇજિપ્ત વચ્ચે રમાઈ હતી. અલ્જીરિયાએ મેચ 1-0 થી જીતીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું. મેચ પછી દર્શકો સ્ટેડિયમની બહાર ઉજવણી કરવા લાગ્યા. ઉજવણીની ભીડને કારણે ટ્રાફિકજામ થયો હતો, જેના કારણે કેટલાક કારચાલકોએ પોતાના વાહનો

What's Your Reaction?






