ઘરફોડ ચોરીનો મામલો:બરવાળામાં બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી
બરવાળામાં બંધ મકાનનું તાળું તોડી અજાણ્યો ઈસમ સોના અને ચાંદી મળી કુલ કિમત રૂપિયા 75,455ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યો હતો. પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ મુળ રહે.બરવાળા અને હાલ ભાવનગર સવગણનગર વરતેજ રહેતા વ્રજલાલભાઈ ઉર્ફે વજુભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.વર્ષ 54નું બરવાળા ગામે રહેલ બંધ મકાનમાં તા.30-7-2025ના સવારના સમયથી તા.31-7-2025ના સવારના સમય દરમિયાન વજુભાઈના બરવાળા ગામે રહેલ બંધ મકાનનો નકુચો તોડે મકાનમાં રાખેલ સોનાની ચેઈન જેની કિમત રૂપિયા 60,371 અને ચાંદીના ઝાંઝર જેની કિમત રૂ.15,084 મળી કુલ કિમત રૂ.75,455ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે વજુભાઈએ બરવાલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

What's Your Reaction?






