મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં 34 સેકન્ડમાં ગામ તબાહ, ટેરિફ વધારવા ટ્રમ્પની ભારતને ફરી ધમકી; કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અંગેના હતા. 34 સેકન્ડમાં એક ગામ નાશ પામ્યું. બીજા મોટા સમાચાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકી વિશે હતા. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. 2. રાહુલ ગાંધી 2018 માં અમિત શાહ પર કથિત ટિપ્પણીના કેસમાં ઝારખંડની ચાઈબાસા કોર્ટમાં હાજર થશે. 3. સુપ્રીમ કોર્ટ EDની સત્તાઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરશે. ???? કાલના મોટા સમાચારો 1. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, 4નાં મોત, 50 ગુમ:34 સેકન્ડમાં જ ગામ ધોવાયું, હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1.45 વાગ્યે બની હતી. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે. ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. 50થી વધુ લોકો ગુમ છે. ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જજ નક્કી ન કરે કે કોણ સાચો ભારતીય છે':રાહુલનો બચાવ કરતાં પ્રિયંકાએ કહ્યું, મારો ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ ન બોલી શકે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે સંસદ પરિસરમાં કહ્યું, 'માનનીય ન્યાયાધીશો પ્રત્યે સંપૂર્ણ આદર સાથે હું કહેવા માગું છું કે તેઓ નક્કી કરતા નથી કે કોણ સાચો ભારતીય છે.' તેમણે કહ્યું, 'વિપક્ષના નેતાનું કર્તવ્ય છે કે તેઓ સરકારને પ્રશ્નો પૂછે. મારા ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ નહીં બોલે, તેમને તેમના પ્રત્યે આદર છે. ભાઈના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું.' દરમિયાન સંસદ ભવનમાં NDA સંસદીય પક્ષની બેઠકમાં PM મોદીએ આ મુદ્દા પર કહ્યું, 'સુપ્રીમ કોર્ટ તરફથી આનાથી મોટી ઠપકો ન હોઈ શકે.' વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કહ્યું- 24 કલાકમાં ભારત પર વધુ ટેરિફ લાદીશ:ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 24 કલાકની અંદર ભારત પર વધુ ટેરિફ લાદશે. ટ્રમ્પે મંગળવારે બિઝનેસ ચેનલ CNBCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. ટ્રમ્પ કહે છે કે ભારત અમેરિકા સાથે ઘણો વેપાર કરે છે, પરંતુ અમેરિકાને ભારતથી એટલો ફાયદો મળતો નથી. તેથી જ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે 7 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે, પરંતુ તેઓ આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધુ વધારો કરવા જઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવી એ વિપક્ષની ભૂલ:તેમણે પોતાના પગ પર કુહાડી મારી મંગળવારે દિલ્હીના સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDA સાંસદોએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા બદલ PM નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે PMને હાર પહેરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PMએ કહ્યું, 'વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી. તેમાં તેમની જ ફજેતી થઈ. વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં નિષ્ણાત છે. વિપક્ષે દરરોજ આવી ચર્ચાઓ કરાવવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન:કિડનીની બીમારીથી પીડાતા હતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. 11 મેના રોજ તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સત્યપાલ મલિકના નિધનની માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી હતી. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ હતા. તેઓ કૃષિ આંદોલન, ભ્રષ્ટાચાર અને ઘણા રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે હેડલાઇન્સમાં રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુરતમાંથી ડુપ્લિકેટ તુલસી-રજનીગંધા તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું: રાત્રે જ કારખાનું ધમધમતું સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના ચાર દિવસ બાદ નકલી પાન-મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન-મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતાં હતાં. રાત્રિના સમયે જ ધમધમતી ફેકટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન-મસાલા બનાવવા માટેના 10 લાખના કાચામાલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન-મસાલામાં બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ:ભરતીમાં અનામત મામલે 9 દિવસથી ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતાં મામલો બિચક્યો, લોખંડનાં બેરિકેડ્સ ફગાવ્યાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. એમાં સોમવાર સુધી સરકાર પાસેથી જવાબ ન મળતાં આજે(5 ઓગસ્ટ, 2025) સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા. પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી કહ્યું હતું કે વિધાનસભા ઘેરાવ માટે ફક્ત સરકાર જવાબદાર રહેશે. વાંચો સંપૂર્ણ સમા

Aug 6, 2025 - 14:39
 0
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં 34 સેકન્ડમાં ગામ તબાહ, ટેરિફ વધારવા ટ્રમ્પની ભારતને ફરી ધમકી; કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અંગેના હતા. 34 સેકન્ડમાં એક ગામ નાશ પામ્યું. બીજા મોટા સમાચાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકી વિશે હતા. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. 2. રાહુલ ગાંધી 2018 માં અમિત શાહ પર કથિત ટિપ્પણીના કેસમાં ઝારખંડની ચાઈબાસા કોર્ટમાં હાજર થશે. 3. સુપ્રીમ કોર્ટ EDની સત્તાઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરશે. ???? કાલના મોટા સમાચારો 1. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, 4નાં મોત, 50 ગુમ:34 સેકન્ડમાં જ ગામ ધોવાયું, હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1.45 વાગ્યે બની હતી. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે. ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. 50થી વધુ લોકો ગુમ છે. ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જજ નક્કી ન કરે કે કોણ સાચો ભારતીય છે':રાહુલનો બચાવ કરતાં પ્રિયંકાએ કહ્યું, મારો ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ ન બોલી શકે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે સંસદ પરિસરમાં કહ્યું, 'માનનીય ન્યાયાધીશો પ્રત્યે સંપૂર્ણ આદર સાથે હું કહેવા માગું છું કે તેઓ નક્કી કરતા નથી કે કોણ સાચો ભારતીય છે.' તેમણે કહ્યું, 'વિપક્ષના નેતાનું કર્તવ્ય છે કે તેઓ સરકારને પ્રશ્નો પૂછે. મારા ભાઈ ક્યારેય સેના વિરુદ્ધ નહીં બોલે, તેમને તેમના પ્રત્યે આદર છે. ભાઈના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું.' દરમિયાન સંસદ ભવનમાં NDA સંસદીય પક્ષની બેઠકમાં PM મોદીએ આ મુદ્દા પર કહ્યું, 'સુપ્રીમ કોર્ટ તરફથી આનાથી મોટી ઠપકો ન હોઈ શકે.' વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કહ્યું- 24 કલાકમાં ભારત પર વધુ ટેરિફ લાદીશ:ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 24 કલાકની અંદર ભારત પર વધુ ટેરિફ લાદશે. ટ્રમ્પે મંગળવારે બિઝનેસ ચેનલ CNBCને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. ટ્રમ્પ કહે છે કે ભારત અમેરિકા સાથે ઘણો વેપાર કરે છે, પરંતુ અમેરિકાને ભારતથી એટલો ફાયદો મળતો નથી. તેથી જ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે 7 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે, પરંતુ તેઓ આગામી 24 કલાકમાં આ ટેરિફમાં વધુ વધારો કરવા જઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોદીએ કહ્યું- ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવી એ વિપક્ષની ભૂલ:તેમણે પોતાના પગ પર કુહાડી મારી મંગળવારે દિલ્હીના સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NDA સાંસદોએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા બદલ PM નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે PMને હાર પહેરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PMએ કહ્યું, 'વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી કરીને ભૂલ કરી. તેમાં તેમની જ ફજેતી થઈ. વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં નિષ્ણાત છે. વિપક્ષે દરરોજ આવી ચર્ચાઓ કરાવવી જોઈએ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન:કિડનીની બીમારીથી પીડાતા હતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. 11 મેના રોજ તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સત્યપાલ મલિકના નિધનની માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી હતી. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ હતા. તેઓ કૃષિ આંદોલન, ભ્રષ્ટાચાર અને ઘણા રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે હેડલાઇન્સમાં રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુરતમાંથી ડુપ્લિકેટ તુલસી-રજનીગંધા તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું: રાત્રે જ કારખાનું ધમધમતું સુરતમાં નકલી શેમ્પૂ વેચવાનું રેકેટ ઝડપાયાના ચાર દિવસ બાદ નકલી પાન-મસાલાનું રેકેટ ઝડપાયું છે. લસકાણા ડાયમંડમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન-મસાલા બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતાં હતાં. રાત્રિના સમયે જ ધમધમતી ફેકટરી પર દરોડો પાડી પોલીસે એક યુવકને પાન-મસાલા બનાવવા માટેના 10 લાખના કાચામાલ સાથે ઝડપી પાડ્યો છે. ડુપ્લિકેટ પાન-મસાલામાં બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે એસેન્સનો ઉપયોગ કરતા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ:ભરતીમાં અનામત મામલે 9 દિવસથી ધરણાં, વિધાનસભા તરફ કૂચ કરતાં મામલો બિચક્યો, લોખંડનાં બેરિકેડ્સ ફગાવ્યાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવામાં આવે. સરકાર તરફથી વાટાઘાટો કે બાંયધરી ન મળતાં તેમણે વિધાનસભાના ઘેરાવની ચીમકી આપી હતી. એમાં સોમવાર સુધી સરકાર પાસેથી જવાબ ન મળતાં આજે(5 ઓગસ્ટ, 2025) સત્યાગ્રહ છાવણી ખાતે 300 જેટલા માજી સૈનિકો એકઠા થયા હતા. પૂર્વ સૈનિકોની આ ચીમકીને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળતાં વિધાનસભા તરફ કૂચ કરી કહ્યું હતું કે વિધાનસભા ઘેરાવ માટે ફક્ત સરકાર જવાબદાર રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર ???? આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લાલ કિલ્લામાં બોમ્બ ન મળી આવતા 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા:સ્વતંત્રતા દિવસ પહેલા મોકડ્રીલની ઘટના; ખાસ ટીમ સામાન્ય નાગરિક તરીકે ગઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PM મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને મળ્યા:પહેલગામ હુમલાની નિંદા કરવા બદલ તેમનો આભાર માન્યો; પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટપાલ ટિકિટ જાહેર કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ધક્કા-મુક્કી, 2 લોકોના મોત:MPના સિહોરમાં કાવડ યાત્રામાં ભાગ લેવા આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : શેખ હસીનાની ઉછલપાથલને 1 વર્ષ પૂર્ણ થયું:યુનુસ સરકારમાં હિન્દુઓ પર સતત હુમલા થયા, ભારત સાથે ટકરાવ વધ્યો તો પાકિસ્તાન સાથે મિત્રતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું એક લાખને પાર, ₹1,00,397 પ્રતિ 10 ગ્રામ થયું:ચાંદી ₹528 વધીને ₹1.12 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દિલ લે ગઈ કુડી ગુજરાત દી!!:WCLના માલિકે ઓન-કેમેરા એન્કરને પ્રપોઝ કર્યું, ફેશન વર્લ્ડની હિરોઈન, એક્ટિંગમાં ફેલ; જાણો કોણ છે ગુજરાતી કરિશ્મા કોટક. વાંચો સંપૂર્ણ સમાચાર 7.બિઝનેસ : હીરોની સૌથી પાવરફુલ બાઇકનું ઉત્પાદન બંધ:કંપની હવે મેવરિક 440 નહીં બનાવે; સારો પ્રતિસાદ ન મળતાં નિર્ણય લેવાયો; ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર ????️ ચર્ચિત નિવેદન ???? ખબર હટકે 20 વર્ષના યુવકે બનાવ્યો અલગ દેશ 20 વર્ષના યુવકે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચે પોતાનો દેશ બનાવ્યો છે. એટલું જ નહીં, તે તે દેશનો રાષ્ટ્રપતિ પણ બન્યો છે. છોકરાનું નામ ડેનિયલ જેક્સન છે. તેણે નવા દેશનું નામ 'ફ્રી રિપબ્લિક ઓફ વર્ડિસ' રાખ્યું છે. 125 એકરમાં ફેલાયેલા આ દેશમાં પોતાનો ધ્વજ, મંત્રીમંડળ, ચલણ અને લગભગ 400 નાગરિકો છે. જેક્સન ઓસ્ટ્રેલિયાનો છે અને વ્યવસાયે ડિજિટલ ડિઝાઇનર છે. ???? ફોટો, જે પોતે સમાચાર છે ???? ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ : '3 દિવસ પછી જાણ કરી શબપેટીમાં બીજાનાં અંગો છે':પ્લેન ક્રેશમાં માતા-પિતા ગુમાવ્યા, બ્રિટિશ નાગરિકે ભાસ્કરને કહ્યું-UKમાં ફરી DNA ન કર્યા હોત તો બીજાની અંતિમક્રિયા થઈ ગઈ હોત 2. હોટલથી કિશોર ટિફિન લઈને આવ્યો ને ઘરમાં માતાની લાશ મળી:3 લગ્ન બાદ એકલી રહેતી મહિલાની હત્યા, પડછાયો બનીને રહેતો ડ્રાઇવર કેમ આવ્યો શંકાના ઘેરામાં? 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : મુંબઈથી ગુમ સૃજના-મેનુકા નેપાળમાં લટકતી મળી:રાત્રે રીલ બનાવી, બે છોકરા સાથે જોવા મળી; હત્યા કે આત્મહત્યા? 4. બાંગ્લાદેશમાં તખતાપલટનું એક વર્ષ, 59 હિન્દુઓની હત્યા:33 મહિલાઓ પર બળાત્કાર, મંદિરો પર હુમલો, સરકારે કહ્યું- અમે શાંતિ લાવી રહ્યા છીએ 5. આજનું એક્સપ્લેનર: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કેમ કહ્યું કે 'તમે સાચા ભારતીય નથી'; જાણો ચીનનો ભારતીય જમીન પર કબજો કરવાની વાત ક્યાંથી ઊઠી? 6. કિડનેપ કરી લાખોમાં બાળકો વેચવાનું ભયાનક રેકેટ:5 સ્ટેપમાં સમજો માસ્ટરમાઇન્ડ મહિલાનું આંતરરાજ્ય કૌભાંડ, કેટલામાં થતી ડીલ? બાળકોનું કિડનેપિંગ રોકવાના 3 ઉપાય ???? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ???? માર્કેટની સ્થિતિ ????️ મોસમનો મિજાજ રાશિફળ ​​​​​​​બુધવારનું રાશિફળ:મોટી મુંઝવણ દૂર થતાં મિથુન રાશિના જાતકોને રાહત મળશે,સિંહ જાતકોને કામ ઉકેલવા ટાઇમ મેનેજમેન્ટ કરવું પડશે​​​​​​​. (વાંચો સંપૂર્ણ રાશિફળ)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow