નવજોત સિંહ સિદ્ધુના પત્ની સાથે 10 કરોડની ઠગાઈ:નાણાં પડાવીને દુબઈ ભાગી ગયેલા પંજાબના બિલ્ડરને આત્મસમર્પણ કરવા હાઇકોર્ટનો આદેશ
પંજાબના પૂર્વ મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુ સાથે 10 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં તાજેતરમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આરોપી બિલ્ડર ગગનદીપ સિંહને એક અઠવાડિયાની અંદર દુબઈથી ભારત પાછા ફરવા અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, આ કેસમાં 24 ઓક્ટોબર 2024ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ બિલ્ડર હોવાનો દાવો કરીને લોકોને શોરૂમમાં રોકાણ કરીને મોટા નફાનું વચન આપીને લલચાવ્યા હતા અને 10 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. કેસ નોંધાયા પછી, આરોપી બિલ્ડર દેશ છોડીને દુબઈ ભાગી ગયો હતો. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 20 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. આખો મામલો શું છે?

What's Your Reaction?






