સુશાંત સંબંધિત કેસમાં રિયાને કોર્ટની નોટિસ:CBIના રિપોર્ટ સંદર્ભે 12 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા આદેશ, એક્ટ્રેસે સુશાંતની બહેનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી છે. આ નોટિસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલા ક્લોઝર રિપોર્ટના સંદર્ભમાં મોકલવામાં આવી છે. આ રિપોર્ટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત છે. CBIએ માર્ચ 2025માં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ આર.ડી. ચવ્હાણે નિર્દેશ આપ્યો, 'મૂળ ફરિયાદી/પીડિત/પ્રભાવિત વ્યક્તિને નોટિસ જારી કરો.' તેમણે નોટિસ બજાવવામાં આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી મુલતવી રાખી છે. રિયાને 12 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં ફરિયાદીને તપાસ એજન્સીના રિપોર્ટ સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવે છે. રિયાએ 2020માં સુશાંતની બહેનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો રિયા ચક્રવર્તીએ 2020માં આ કેસમાં સુશાંતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડૉ. તરુણ નાથુ રામનું નામ પણ સામેલ હતું. રિયાએ આરોપ લગાવ્યો હતો કે, આ લોકોએ સુશાંત માટે યોગ્ય ડૉક્ટરની દેખરેખ વિના પ્રિસ્ક્રિપ્શન દવાઓ ખરીદી હતી. રિયાએ કહ્યું હતું કે, 'સુશાંતને બાયપોલર ડિસઓર્ડર હતો અને તે નિયમિત સારવાર લેતો ન હતો. તે ઘણીવાર દવાઓ લેવાનું બંધ કરી દેતો હતો.' રિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, 'માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવા છતાં, તેની બહેને ફક્ત મેસેજ દ્વારા દવાઓ પહોંચાડી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, વપરાયેલું પ્રિસ્ક્રિપ્શન નકલી હતું.' આ ફરિયાદમાં ભારતીય દંડ સંહિતા અને NDPS એક્ટની કલમો લગાવવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુ પછી રિયાએ બાંદ્રામાં આ કેસ દાખલ કર્યો હતો. આ કેસની તપાસ શરૂઆતમાં મુંબઈ અને બિહાર પોલીસે કરી હતી અને બાદમાં સીબીઆઈએ તેનો કબજો લીધો હતો. માર્ચમાં, સીબીઆઈએ તેના અહેવાલમાં કહ્યું હતું કે, કોઈની સામે ગુનાહિત કાવતરું રચવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Aug 1, 2025 - 04:44
 0
સુશાંત સંબંધિત કેસમાં રિયાને કોર્ટની નોટિસ:CBIના રિપોર્ટ સંદર્ભે 12 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા આદેશ, એક્ટ્રેસે સુશાંતની બહેનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
મુંબઈની એક મેજિસ્ટ્રેટ કોર્ટે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને નોટિસ ફટકારી છે. આ નોટિસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલા ક્લોઝર રિપોર્ટના સંદર્ભમાં મોકલવામાં આવી છે. આ રિપોર્ટ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત છે. CBIએ માર્ચ 2025માં આ રિપોર્ટ રજૂ કર્યો હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ આર.ડી. ચવ્હાણે નિર્દેશ આપ્યો, 'મૂળ ફરિયાદી/પીડિત/પ્રભાવિત વ્યક્તિને નોટિસ જારી કરો.' તેમણે નોટિસ બજાવવામાં આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી મુલતવી રાખી છે. રિયાને 12 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ નોટિસ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં ફરિયાદીને તપાસ એજન્સીના રિપોર્ટ સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવે છે. રિયાએ 2020માં સુશાંતની બહેનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો રિયા ચક્રવર્તીએ 2020માં આ કેસમાં સુશાંતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ડૉ. તરુણ નાથુ રામનું નામ પણ સામેલ હતું. રિયાએ આરોપ લગાવ્યો હતો કે, આ લોકોએ સુશાંત માટે યોગ્ય ડૉક્ટરની દેખરેખ વિના પ્રિસ્ક્રિપ્શન દવાઓ ખરીદી હતી. રિયાએ કહ્યું હતું કે, 'સુશાંતને બાયપોલર ડિસઓર્ડર હતો અને તે નિયમિત સારવાર લેતો ન હતો. તે ઘણીવાર દવાઓ લેવાનું બંધ કરી દેતો હતો.' રિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, 'માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવા છતાં, તેની બહેને ફક્ત મેસેજ દ્વારા દવાઓ પહોંચાડી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, વપરાયેલું પ્રિસ્ક્રિપ્શન નકલી હતું.' આ ફરિયાદમાં ભારતીય દંડ સંહિતા અને NDPS એક્ટની કલમો લગાવવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુ પછી રિયાએ બાંદ્રામાં આ કેસ દાખલ કર્યો હતો. આ કેસની તપાસ શરૂઆતમાં મુંબઈ અને બિહાર પોલીસે કરી હતી અને બાદમાં સીબીઆઈએ તેનો કબજો લીધો હતો. માર્ચમાં, સીબીઆઈએ તેના અહેવાલમાં કહ્યું હતું કે, કોઈની સામે ગુનાહિત કાવતરું રચવાના કોઈ પુરાવા મળ્યા નથી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow