સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ:1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 17 અને કચ્છમાં 12 ઈંચ, વરસાદ ઓછો પણ 161 ડેમમાં જળસંગ્રહ ગત વર્ષ કરતા વધુ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વિતી ચૂક્યો છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. જો કે, હજી ચોમાસું બાકી હોય આ ખાધ પૂરી થવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં 1 ઓગસ્ટ સુધીમાં વરસેલા વરસાદની અને ડેમની સ્થિતિ કેવી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. 11 વર્ષની સરેરાશ કરતા આ વર્ષે ઓછો વરસાદ છેલ્લા 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલા 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ જૂનાગઢમાં 21 ઈંચ સરેરાશ વરસાદ 1 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓછો અમરેલી, મોરબી અને કચ્છમાં 12-12 ઈંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ 1 ઓગસ્ટ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આજની તારીખે 51.54 ટકા જ હતો. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે. કચ્છ ઝોનના ડેમની સ્થિતિ કચ્છ જિલ્લાના 20 ડેમમાં 1 ઓગસ્ટ 2024ના રોજ 52.25 ટકા જળસંગ્રહ હતો. તેની સરખામણીએ આ વર્ષે 3 ટકા વધુ એટલે કે 55.21 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સમાચાર પણ વાંચોઃ નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક થઈ રહી છે. આ કારણે ડેમના કુલ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 3 લાખ 88 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાતના છલકાતા ડેમોનો અદભુત નજારો આ વર્ષે જૂનમાં પડેલા નોંધપાત્ર વરસાદે ગુજરાતના ડેમોને ફરી જીવંત કરી દીધા છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતના એવા 5 ડેમની ખાસ ઝલક રજૂ કરી છે, જે માત્ર છલકાયા નથી, પણ ધસમસતા પાણી સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસની વાતો કહી રહ્યા છે (વીડિયો જોવા અહીં ક્લિક કરો).

Aug 2, 2025 - 21:21
 0
સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ:1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ 17 અને કચ્છમાં 12 ઈંચ, વરસાદ ઓછો પણ 161 ડેમમાં જળસંગ્રહ ગત વર્ષ કરતા વધુ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વિતી ચૂક્યો છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. જો કે, હજી ચોમાસું બાકી હોય આ ખાધ પૂરી થવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં 1 ઓગસ્ટ સુધીમાં વરસેલા વરસાદની અને ડેમની સ્થિતિ કેવી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. 11 વર્ષની સરેરાશ કરતા આ વર્ષે ઓછો વરસાદ છેલ્લા 11 વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 ઓગસ્ટ દરમિયાન વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પણ આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ વર્ષે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 16 અને કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. આ પહેલા 2016માં 1 ઓગસ્ટ સુધીમાં સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9 ઈંચ અને કચ્છમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ જૂનાગઢમાં 21 ઈંચ સરેરાશ વરસાદ 1 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓછો અમરેલી, મોરબી અને કચ્છમાં 12-12 ઈંચ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનના ડેમની સ્થિતિ 1 ઓગસ્ટ 2025 સુધીમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.18 ટકા જળસંગ્રહ થયો છે. જે ગયા વર્ષે આજની તારીખે 51.54 ટકા જ હતો. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌરાષ્ટ્રના ડેમોમાં 15 ટકા વધુ જળસંગ્રહ થયેલો છે. કચ્છ ઝોનના ડેમની સ્થિતિ કચ્છ જિલ્લાના 20 ડેમમાં 1 ઓગસ્ટ 2024ના રોજ 52.25 ટકા જળસંગ્રહ હતો. તેની સરખામણીએ આ વર્ષે 3 ટકા વધુ એટલે કે 55.21 ટકા જળસંગ્રહ થયેલો છે. આ સમાચાર પણ વાંચોઃ નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી પાણીની ભારે આવક થઈ રહી છે. આ કારણે ડેમના કુલ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 3 લાખ 88 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ગુજરાતના છલકાતા ડેમોનો અદભુત નજારો આ વર્ષે જૂનમાં પડેલા નોંધપાત્ર વરસાદે ગુજરાતના ડેમોને ફરી જીવંત કરી દીધા છે. દિવ્ય ભાસ્કરે ગુજરાતના એવા 5 ડેમની ખાસ ઝલક રજૂ કરી છે, જે માત્ર છલકાયા નથી, પણ ધસમસતા પાણી સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસની વાતો કહી રહ્યા છે (વીડિયો જોવા અહીં ક્લિક કરો).

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow