દેશમાં 24 કલાકમાં કોરોનાથી 6ના મોત:અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતીનું મોત; 3976 એક્ટિવ કેસ, કેરળમાં સૌથી વધુ 1435 કેસ

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 1976 પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગની વેબસાઇટ અનુસાર, 10 દિવસમાં કેસ 15 ગણા વધ્યા છે. કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. અહીં 506 દર્દીઓ છે. કોરોનાથી મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6ના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં એક 22 વર્ષની યુવતી અને તમિલનાડુમાં એક 25 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ થયું. સોમવારે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત નોંધાયા છે. સતત વધી રહેલા કેસ વચ્ચે, કર્ણાટક સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં, લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં 238 એક્ટવ કેસ છે. અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતીનું મોત અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી. મિઝોરમમાં 7 મહિના પછી કોવિડનો પહેલો કેસ નોંધાયો શુક્રવારે મિઝોરમમાં બે લોકોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવો છેલ્લો કેસ નોંધાયાના 7 મહિના પછી કોવિડના કેસ મળી આવ્યા હતા. મિઝોરમમાં કોવિડ-19નો છેલ્લો કેસ ઓક્ટોબર 2024માં નોંધાયો હતો, જે દરમિયાન રાજ્યમાં 73 લોકો વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર આઈઝોલ નજીક ફાળકોનમાં ઝોરામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (ZMCH) કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) એ લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહ્યું છે. IDSP એ લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની, નિયમિતપણે હાથ ધોવાની, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અને ભીડવાળા વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે. 10 રાજ્યોમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ કોવિડ ટેસ્ટ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે શનિવારે કોવિડના 68 નવા કેસ નોંધાયા છે. તેમજ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરી 2025 થી મુંબઈમાં 411 કેસ મળી આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, રાજ્યમાં 10,324 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 681 કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. અહીં જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે કોવિડ-19 ના બે કેસ નોંધાયા હતા. બંને દર્દીઓ કેરળના રહેવાસી છે અને શ્રીનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે. ભારતમાં કોવિડ-19 ના 4 નવા વેરિઅન્ટ મળી આવ્યા ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે. JN.1 પ્રકાર રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, WHOએ તેને 'વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ' જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ છે. JN.1 વેરિયન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબાં સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે. Topics:

Jun 3, 2025 - 17:21
 0
દેશમાં 24 કલાકમાં કોરોનાથી 6ના મોત:અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતીનું મોત; 3976 એક્ટિવ કેસ, કેરળમાં સૌથી વધુ 1435 કેસ
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 1976 પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગની વેબસાઇટ અનુસાર, 10 દિવસમાં કેસ 15 ગણા વધ્યા છે. કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. અહીં 506 દર્દીઓ છે. કોરોનાથી મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6ના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં એક 22 વર્ષની યુવતી અને તમિલનાડુમાં એક 25 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ થયું. સોમવારે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત નોંધાયા છે. સતત વધી રહેલા કેસ વચ્ચે, કર્ણાટક સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં, લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં 238 એક્ટવ કેસ છે. અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતીનું મોત અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી. મિઝોરમમાં 7 મહિના પછી કોવિડનો પહેલો કેસ નોંધાયો શુક્રવારે મિઝોરમમાં બે લોકોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવો છેલ્લો કેસ નોંધાયાના 7 મહિના પછી કોવિડના કેસ મળી આવ્યા હતા. મિઝોરમમાં કોવિડ-19નો છેલ્લો કેસ ઓક્ટોબર 2024માં નોંધાયો હતો, જે દરમિયાન રાજ્યમાં 73 લોકો વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર આઈઝોલ નજીક ફાળકોનમાં ઝોરામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (ZMCH) કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) એ લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહ્યું છે. IDSP એ લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની, નિયમિતપણે હાથ ધોવાની, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અને ભીડવાળા વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે. 10 રાજ્યોમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ કોવિડ ટેસ્ટ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે શનિવારે કોવિડના 68 નવા કેસ નોંધાયા છે. તેમજ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરી 2025 થી મુંબઈમાં 411 કેસ મળી આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, રાજ્યમાં 10,324 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 681 કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. અહીં જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે કોવિડ-19 ના બે કેસ નોંધાયા હતા. બંને દર્દીઓ કેરળના રહેવાસી છે અને શ્રીનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે. ભારતમાં કોવિડ-19 ના 4 નવા વેરિઅન્ટ મળી આવ્યા ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે. JN.1 પ્રકાર રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, WHOએ તેને 'વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ' જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ છે. JN.1 વેરિયન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબાં સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે. Topics:

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow