ઢાંકી ગામમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ:અંબાજી, રામ-લક્ષ્મણ-જાનકી અને રાધા-કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન
લખતર તાલુકાના ઢાંકી ગામમાં નવનિર્મિત અંબાજી માતાજી, રામ-લક્ષ્મણ-જાનકી અને રાધા-કૃષ્ણ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ અને સ્થાપિત દેવ પૂજન કરવામાં આવ્યા. અગ્નિ સ્થાપન, જલયાત્રા, પ્રાત પૂજન અને રાજોપચાર જેવી વિધિઓ પણ સંપન્ન થઈ. સામૈયું, નગરયાત્રા, ધ્વજારોહણ અને મહા આરતી સાથે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો. મહોત્સવમાં ૫૧ યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો. મુખ્ય યજમાન તરીકે યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા હતા. કારેલા ગામના રાજેશભાઈ શુકલે યજ્ઞના આચાર્ય તરીકે મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી. ગામની મહિલાઓએ મૂર્તિઓનો જળાભિષેક કર્યો. નગરયાત્રામાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઢાંકી ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?






