25 ગામ એસટી વિહોણા‎:3 તાલુકાને જોડતા નાગેશ્રી- ખાંભા રૂટ પર‎ પુલ બંધ

રાજુલા, ખાંભા અને જાફરાબાદ‎ તાલુકાને જોડતો નાગેશ્રી -ખાંભા‎ રૂટ પર ભાવરડી અને સરાકડીયા‎ પુલ ભારે વાહનો માટે તંત્રએ બંધ‎ કરી દીધો છે. જેના કારણે 25 થી‎વધુ ગામના વિદ્યાર્થીઓ અને‎ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.‎આ બંને પુલ રાજકોટ નેશનલ‎ હાઈવે દ્વારા બંધ કરવામાં આવ્યા‎છે.‎ રાજુલા, ખાંભા, જાફરાબાદ‎ આમ ત્રણ તાલુકાના લોકો માટે‎ ઉપયોગી રૂટ હતો. નાગેશ્રીથી‎ ખાંભા રોડ ઉપરથી વાયા ડેડાણ,‎ ત્રાકુડા, ચોત્રા, બારમણ,‎ કંથારિયા, બારપટોળી બીજી ‎તરફ ત્રાકુડાથી લોર, માણસા,‎ એભલવડ, જીકાદરી,‎ જાફરાબાદ, દુધાળા, વડેરા,‎ કડીયાળી, ધોળાદ્રી સહિત‎ ગામડાઓમાંથી એસટીઓ‎ ખાંભા તરફથી આવન જાવન‎ કરતી હતી. પરંતુ આ પુલ‎ નેશનલ હાઇવેના કાર્યક્ષેત્રમાં‎ હતા. ત્યારે રાજાશાહી વખતના‎ ભાવરડી અને સરાકડીયા પુલ‎ નેશનલ હાઈવે કચેરી કાર્યપાલક‎ રાજકોટ અને સબ ડિવિઝન‎ કોડીનાર દ્વારા બંધ કરવામાં‎ આવ્યા છે.‎ જેથી અમરેલી,‎ જાફરાબાદ, રાજુલા ,ખાંભા, બારમણ, ખાંભા નાઈટ‎ તથા નવી શરૂ થયેલી બગસરા‎ મહુવા, ધારી મહુવા એસટી બસો‎ ખાંભાથી વાયા આદસંગ, થોરડી,‎ આગરીયા, રાજુલા તરફથી જઈ‎ રહી છે. જેના કારણે 25‎ ગામડાઓના વિદ્યાર્થીઓ‎ પરેશાન થઈ રહ્યા છે. તંત્રએ‎ અહીં ડાયવર્ઝન કાઢ્યું જ નથી.‎ ત્યારે ધારાસભ્ય હીરાભાઈ‎ સોલંકી, જે.વી.કાકડીયા અને‎ એસટીના અધિકારીઓ ઉપરાંત‎ નેશનલ હાઈવેના અધિકારીઓ‎ ડાયવર્ઝન કાઢી એસટી બસો શરૂ‎ કરાવે તેવી વિદ્યાર્થીઓ અને ‎મુસાફરોમાં માંગણી ઉઠી હતી.‎

Aug 1, 2025 - 04:44
 0
25 ગામ એસટી વિહોણા‎:3 તાલુકાને જોડતા નાગેશ્રી- ખાંભા રૂટ પર‎ પુલ બંધ
રાજુલા, ખાંભા અને જાફરાબાદ‎ તાલુકાને જોડતો નાગેશ્રી -ખાંભા‎ રૂટ પર ભાવરડી અને સરાકડીયા‎ પુલ ભારે વાહનો માટે તંત્રએ બંધ‎ કરી દીધો છે. જેના કારણે 25 થી‎વધુ ગામના વિદ્યાર્થીઓ અને‎ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.‎આ બંને પુલ રાજકોટ નેશનલ‎ હાઈવે દ્વારા બંધ કરવામાં આવ્યા‎છે.‎ રાજુલા, ખાંભા, જાફરાબાદ‎ આમ ત્રણ તાલુકાના લોકો માટે‎ ઉપયોગી રૂટ હતો. નાગેશ્રીથી‎ ખાંભા રોડ ઉપરથી વાયા ડેડાણ,‎ ત્રાકુડા, ચોત્રા, બારમણ,‎ કંથારિયા, બારપટોળી બીજી ‎તરફ ત્રાકુડાથી લોર, માણસા,‎ એભલવડ, જીકાદરી,‎ જાફરાબાદ, દુધાળા, વડેરા,‎ કડીયાળી, ધોળાદ્રી સહિત‎ ગામડાઓમાંથી એસટીઓ‎ ખાંભા તરફથી આવન જાવન‎ કરતી હતી. પરંતુ આ પુલ‎ નેશનલ હાઇવેના કાર્યક્ષેત્રમાં‎ હતા. ત્યારે રાજાશાહી વખતના‎ ભાવરડી અને સરાકડીયા પુલ‎ નેશનલ હાઈવે કચેરી કાર્યપાલક‎ રાજકોટ અને સબ ડિવિઝન‎ કોડીનાર દ્વારા બંધ કરવામાં‎ આવ્યા છે.‎ જેથી અમરેલી,‎ જાફરાબાદ, રાજુલા ,ખાંભા, બારમણ, ખાંભા નાઈટ‎ તથા નવી શરૂ થયેલી બગસરા‎ મહુવા, ધારી મહુવા એસટી બસો‎ ખાંભાથી વાયા આદસંગ, થોરડી,‎ આગરીયા, રાજુલા તરફથી જઈ‎ રહી છે. જેના કારણે 25‎ ગામડાઓના વિદ્યાર્થીઓ‎ પરેશાન થઈ રહ્યા છે. તંત્રએ‎ અહીં ડાયવર્ઝન કાઢ્યું જ નથી.‎ ત્યારે ધારાસભ્ય હીરાભાઈ‎ સોલંકી, જે.વી.કાકડીયા અને‎ એસટીના અધિકારીઓ ઉપરાંત‎ નેશનલ હાઈવેના અધિકારીઓ‎ ડાયવર્ઝન કાઢી એસટી બસો શરૂ‎ કરાવે તેવી વિદ્યાર્થીઓ અને ‎મુસાફરોમાં માંગણી ઉઠી હતી.‎

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow