અમિતાભ-દિલીપ કુમાર સાથે હોય તેવી માત્ર એક ફિલ્મ:'શક્તિ' ફિલ્મના નિર્માતાનું ધોળાદિવસે અપહરણ થયું; દિલીપ કુમારે ઊંડી તપાસ કરાવી
ફિલ્મ ડિરેક્ટર રમેશ સિપ્પીની ફિલ્મ 'શક્તિ' 1982માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર જેવા સુપરસ્ટાર હતા. તે સલીમ-જાવેદ દ્વારા લખાઈ હતી. ખાસ વાત એ હતી કે 'શક્તિ' પહેલી અને એકમાત્ર ફિલ્મ હતી જેમાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન પડદા પર સાથે દેખાયા હતા. આ ફિલ્મના નિર્માતા મુશીર-રિયાઝની જોડી હતી. મુશીર આલમ 70 અને 80 ના દાયકામાં બોલિવૂડના સૌથી હાઇ-પ્રોફાઇલ અને સૌથી સફળ નિર્માતાઓમાંના એક હતા. તેમનું પ્રોડક્શન લેબલ 'મુશીર-રિયાઝ' હતું, જે સાથી નિર્માતા મોહમ્મદ રિયાઝ સાથેનું સંયુક્ત સાહસ હતું. નોંધનીય છે કે, 1982માં જ નિર્માતા મુશીર સાથે એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા. 'શક્તિ' ફિલ્મના નિર્માતા મુશીર આલમનું મુંબઈની શેરીઓમાંથી ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કેવી રીતે થયું? પ્રખ્યાત ક્રાઈમ જર્નાલિસ્ટ એસ હુસૈન ઝૈદીએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ ઘટના વિશે જણાવ્યું હતું કે,- 'મુશીર આલમ રોજની જેમ ઓફિસ જઈ રહ્યો હતો. રસ્તામાં એક સફેદ એમ્બેસેડર કાર આવી અને ચાર હથિયારધારી માણસો બહાર નીકળ્યા. તેઓએ મુશીરને બળજબરીથી કારમાં બેસાડ્યો અને તેની આંખો પર પટ્ટી બાંધી દીધી, પરંતુ મુશીરે હિંમત ન હાર્યો. તેણે રસ્તામાં દેખાતા કેટલાક ચિહ્નો યાદ કરવાનો પ્રયાસ કર્યો. આંખે પાટો બાંધેલો હોવા છતાં તેણે 'શોલે' ફિલ્મનું પોસ્ટર જોયું. લાકડાની સીડીઓ ચઢતી વખતે તેને અવાજો સંભળાતા હતા અને કુરાનમાંથી આયતો વાંચતા બાળકોના અવાજો સંભળાતા હતા. આ બધી બાબતો પછીથી ખૂબ ઉપયોગી થઈ.' મુશીરને છોડાવવા માટે અપહરણકારોએ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, અપહરણકારોએ મુશીર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. મુશીરે તેના એક સાથીને ફોન કર્યો, જેણે લગભગ 3 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી. પૈસા લીધા પછી, બદમાશોએ મુશીરને એક ચોકડી પર છોડી દીધો. દિલીપ કુમારે આ બાબતને ગંભીરતાથી લીધી આ સમાચાર મીડિયામાં આવ્યા ન હતા, પરંતુ દિલીપ કુમારે આ બાબતને ગંભીરતાથી લીધી. તે મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા અને મુશીરની સાથે પોલીસ સ્ટેશન ગયા. આ ઘટના મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી આઇઝેક બાગવાને પુસ્તકમાં શેર કરી છે. આઇઝેક બાગવાન પોતાના પુસ્તકમાં લખે છે,- 24 સપ્ટેમ્બર,1982ના રોજ, એક કોન્સ્ટેબલે અમને જાણ કરી કે દિલીપ કુમાર કમિશનર ઑફિસ આવ્યા છે. અમને લાગ્યું કે કદાચ તેઓ તેમના હથિયારનું લાઇસન્સ રિન્યૂ કરવા અથવા કોઈ સુરક્ષા સંબંધિત મુદ્દા માટે આવ્યા હશે, પરંતુ વાત કંઈક બીજી જ હતી.' બાગવાને આગળ લખ્યું, 'જ્યારે અમે કમિશનરની ઑફિસ પહોંચ્યા, ત્યારે અમે દિલીપ કુમારને બે લોકો સાથે બેઠા જોયા. કમિશનર રિબેરોએ કહ્યું, 'આ શ્રી મુશીર અને શ્રી રિયાઝ છે.' પોલીસ તપાસ અને ખુલાસા પોલીસ અધિકારી ઇસાક બાગવાને મુશીરની બારીકાઈથી પૂછપરછ કરી. તેમણે પૂછ્યું કે હાજી અલીથી વાહન પહોંચવામાં કેટલો સમય લાગ્યો, કેટલી સીડીઓ ચઢી હતી, કેવાં અવાજો સંભળાયા હતા. આ બધી કડીઓ પરથી પોલીસે અનુમાન લગાવ્યું કે આ જગ્યા નાગપાડા વિસ્તારમાં હોઈ શકે છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને એ જ રૂમ મળ્યો જે મુશીરે તેમને કહ્યું હતું. જ્યારે ત્યાંના લોકોને પૂછવામાં આવ્યું કે આ કોનો રૂમ છે, ત્યારે જવાબ મળ્યો - 'આ અમીરઝાદા-આલમઝેબ ગેંગનો પૂછપરછ રૂમ છે.' આ ચાર લોકોની ઓળખ અમીરઝાદા, આલમઝેબ, અબ્દુલ લતીફ અને શહજાદ ખાન તરીકે થઈ છે.' ગેંગનો વાસ્તવિક હેતુ ઇશાક બાગવાને એમ પણ લખ્યું, 'જ્યારે આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે આ ગેંગે પહેલા દાઉદ ઇબ્રાહિમને મારવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમની પાસે પૈસા બચ્યા નહોતા. તેમને પૈસાની સખત જરૂર હતી, તેથી તેમણે અહેમદ સૈયદ ખાનને ફિલ્મ ઉદ્યોગના ધનિક લોકોને શોધવા કહ્યું અને આ રીતે તેઓ મુશીર સુધી પહોંચ્યા.'

What's Your Reaction?






