'બિયરની જેમ યુરિન પીવું જોઈએ':પરેશ રાવલ માટે 'બાબુરાવ'નું પાત્ર ફાંસીનો ફંદો, બેંકની નોકરી છોડી ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા લઈને ગુજરાન ચલાવતા હતા

પરેશ રાવલે બોલિવૂડથી લઈને રાજકારણના મેદાન સુધી પોતાને સાબિત કર્યા છે. અંદાજે 240 ફિલ્મમાં કામ કરી ચૂકેલા પરેશ રાવલે 100 ફિલ્મમાં વિલન અને બાકીની મોટા ભાગની ફિલ્મોમાં કોમેડી રોલ કર્યા છે. એમાં 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી'માં ભજવેલું 'બાબુરાવ'નું પાત્ર આઈકોનિક છે. જોકે પરેશ રાવલ તેમને પોતાની કારકિર્દી માટે ફાંસીનો ફંદો માને છે. આ દિવસોમાં પરેશ આ ફિલ્મને લઈને ઘણા વિવાદોમાં છે. પોતાના રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે ક્યારેય રાજકારણમાં જોડાવાનું વિચાર્યું નહોતું. તેમની પત્ની સ્વરૂપ સંપતે પણ કહ્યું હતું કે- તેઓ મ્યુનિસિપલ ચૂંટણી પણ જીતી શકે એમ નથી. પરેશ રાવલ આજે 70 વર્ષના થયા, ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... 'મને બાળપણથી જ થિયેટર પ્રત્યે ઝુકાવ હતો' 30 મે 1955ના રોજ મુંબઈના એક મધ્યમવર્ગના ગુજરાતી પરિવારમાં જન્મેલા પરેશ રાવલ બાળપણથી જ રંગભૂમિ તરફ ઝુકાવ ધરાવતા હતા. તેઓ એક્ટર બનવા માગતા હતા. તેમના પિતા દહ્યાલ રાવલ એક ઉદ્યોગપતિ હતા. તેમણે ક્યારેય પરેશને એક્ટિંગ માટે રોક્યા નથી. પરેશ રાવલ તેમના ભણતરના દિવસોથી જ નાટકોમાં ભાગ લેતા હતા. 15 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર નાટકમાં કામ કરવાની તક મળી. 'હું સ્વરૂપને થિયેટરના સમય દરમિયાન મળ્યો હતો' પરેશ રાવલ થિયેટરમાં કામ કરતી વખતે સ્વરૂપ (પરેશ રાવલનાં પત્ની)ને મળ્યા હતા. 1975માં બંને કોલેજમાં સાથે હતાં. સ્વરૂપ પરેશ રાવલનું સ્ટેજ પર્ફોર્મન્સ જોઈને તેમનાં ફેન બની ગયાં. તેઓ એટલાં ઉત્સાહિત હતાં કે શો પૂરો થતાં જ તેઓ બેકસ્ટેજ પર ગયાં અને પરેશનું નામ અને કામ વિશે પૂછવા લાગ્યાં. તેમના અભિનયનાં વખાણ કર્યાં. પરેશ અને સ્વરૂપ વચ્ચેની આ ટૂંકી મુલાકાતે તેમને એકબીજાના ખૂબ સારા મિત્રો બનાવી દીધા. પછી બંનેને મિત્રતામાંથી પ્રેમમાં પરિવર્તિત થતાં વધુ સમય ન લાગ્યો. 'મને પહેલી નજરમાં જ સ્વરૂપ સાથે પ્રેમ થઈ ગયો હતો' એક ઇન્ટરવ્યૂ દરમિયાન પરેશ રાવલે એક રસપ્રદ પ્રેમ કહાની શેર કરી. એક્ટરે કહ્યું હતું કે સ્વરૂપને પહેલીવાર જોઈને જ તેમના પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે મેં આ વાત મારા મિત્ર મહેન્દ્ર જોશીને કહી ત્યારે તેમણે કહ્યું કે- શું તને ખબર છે કે તું જે કંપનીમાં કામ કરે છે તેના બોસની દીકરી છે. મેં કહ્યું કે- ભલે તે કોઈની દીકરી હોય, બહેન હોય કે માતા હોય, હું તેની સાથે લગ્ન કરીશ. 'ઝાડ નીચે સાત ફેરા લીધા' ધીમે ધીમે વાત લગ્ન સુધી પહોંચી ગઈ, પરંતુ એક સમસ્યા એ હતી કે ઘણા લોકોને બંને વચ્ચેના સંબંધ વિશે ખબર નહોતી. એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલની પત્ની સ્વરૂપે કહ્યું હતું કે- લોકોને આ વાતની ખબર ન પડે એ માટે, અમે મુંબઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં એક ઝાડ નીચે સાત ફેરા લીધા, કારણ કે મંદિરમાં કોઈ મંડપ નહોતો. આ સમય દરમિયાન 9 પંડિત મંગલ મંત્રનો જાપ કરી રહ્યા હતા. 'ત્રણ દિવસમાં બેંકની નોકરી છોડી દીધી' થિયેટરમાં કામ કરતી વખતે પરેશ રાવલ માટે ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. તેથી તેમણે બેંક ઓફ બરોડામાં નોકરી સ્વીકારી. પરેશ રાવલને થિયેટર પ્રત્યે એટલો બધો લગાવ હતો કે તેઓ બેંકની નોકરીથી કંટાળી ગયા હતા. બેંકની નોકરી છોડ્યા પછી જ્યારે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ તેમની ગર્લફ્રેન્ડ સ્વરૂપ સંપત પાસેથી પૈસા ઉધાર લઈને ગુજરાન ચલાવતા હતા. આ વાત પરેશે અનુપમ ખેરના શોમાં જણાવી હતી. તમને જણાવી દઈએ કે- સ્વરૂપ એક એક્ટ્રેસ રહી છે. એટલું જ નહીં, તેમને 1979માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ગુજરાતી ફિલ્મથી કરી કારકિર્દીની શરૂઆત પરેશ રાવલે 1982માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'નસીબ ની બલિહારી'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 1984માં ડિરેક્ટર કેતન મહેતાની ફિલ્મ 'હોલી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મના નામની જેમ, પરેશ રાવલના ફિલ્મી કરિયરના કેનવાસમાં પણ ઘણા રંગોનાં પાત્રો સામેલ છે. ગુજરાતી અને હિન્દી ઉપરાંત પરેશ રાવલે મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે, પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ 'હેરા ફેરી'માં 'બાબુરાવ'ના પાત્રથી મળી. 'હેરા ફેરી'નું પાત્ર ફાંસીનો ફંદો બની ગયું ફિલ્મ 'હેરા ફેરી' સિરીઝમાં પરેશ રાવલના પાત્ર 'બાબુરાવ'ને ખૂબ પ્રશંસા મળી. આજે પણ આ પાત્રની ખૂબ ચર્ચા થાય છે, પરંતુ હવે આ પાત્ર પરેશ માટે ફાંસીનો ફંદો બની ગયું છે. તેમણે 'લલ્લાન્ટોપ' સાથેની મુલાકાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના કામની પ્રશંસા થાય છે, પરંતુ એ તેમના માટે ફાંસીના ફંદા સમાન છે. તેમણે જુદા જુદા ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમને 'બાબુરાવ'ના પાત્રનો ઉપયોગ કરીને બીજી ફિલ્મ બનાવવા અને દર્શકો સમક્ષ એક અલગ વાર્તા રજૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ એવું બન્યું નહીં. 'બાબુરાવ'ના પાત્રથી મને ગૂંગળામણ થઈ રહી છે એક્ટરે કહ્યું હતું- બાબુરાવનું પાત્ર મારા ફાંસીનો ફંદો બની ગયું છે. બધા મને 'હેરા ફેરી' જેવા રોલમાં કાસ્ટ કરવા માગતા હતા. આ પાત્રમાં મને ગૂંગળામણ થતી હતી. પછી હું 2007માં 'હેરા ફેરી' ફિલ્મની રજૂઆત પછી વિશાલ ભારદ્વાજ પાસે ગયો. તેણે કહ્યું કે 'ડાન્સર ઇન ધ ડાર્ક' ફિલ્મ છે. એ ખૂબ જ દુ:ખદ સ્ટોરી છે. એમાં રહેલી છોકરી જાડાં ચશ્માં પહેરે છે અને બિલકુલ 'બાબુરાવ'ની દીકરી જેવી દેખાય છે. મેં કહ્યું કે- મને આ ગેટઅપમાં બીજું પાત્ર જોઈએ છે. તેમણે કહ્યું કે- હું રિમેક નથી બનાવતો. આ સિક્વલ 'લગે રહો મુન્નાભાઈ' જેવી હોવી જોઈએ પરેશે આગળ કહ્યું- હું 2022માં આર બાલ્કી પાસે ગયો હતો. મેં કહ્યું કે મને આ ગેટઅપમાં બીજું પાત્ર આપો, મને આ પાત્રમાં ગૂંગળામણ થાય છે. જ્યારે તમે એક પછી એક સિક્વલ બનાવો છો, ત્યારે તમે ફરીથી એ જ વસ્તુ બતાવો છો. સિક્વલ ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી હોવી જોઈએ. 'હેરા ફેરી'ના 'બાબુરાવ' 500 કરોડ રૂપિયાની ગુડવિલ ધરાવતું પાત્ર છે. તેની સાથે ઉડાન ભરી શકાય હોત, ત્યાં પણ કંઈ કામ ન બન્યું. 'મુન્નાભાઈ MBBS' ફિલ્મ કેમ છોડી? પરેશ રાવલ ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ'માં ડૉ. અસ્થાનાની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ તેમણે ફિલ્

Jun 1, 2025 - 02:42
 0
'બિયરની જેમ યુરિન પીવું જોઈએ':પરેશ રાવલ માટે 'બાબુરાવ'નું પાત્ર ફાંસીનો ફંદો, બેંકની નોકરી છોડી ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા લઈને ગુજરાન ચલાવતા હતા
પરેશ રાવલે બોલિવૂડથી લઈને રાજકારણના મેદાન સુધી પોતાને સાબિત કર્યા છે. અંદાજે 240 ફિલ્મમાં કામ કરી ચૂકેલા પરેશ રાવલે 100 ફિલ્મમાં વિલન અને બાકીની મોટા ભાગની ફિલ્મોમાં કોમેડી રોલ કર્યા છે. એમાં 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી'માં ભજવેલું 'બાબુરાવ'નું પાત્ર આઈકોનિક છે. જોકે પરેશ રાવલ તેમને પોતાની કારકિર્દી માટે ફાંસીનો ફંદો માને છે. આ દિવસોમાં પરેશ આ ફિલ્મને લઈને ઘણા વિવાદોમાં છે. પોતાના રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે ક્યારેય રાજકારણમાં જોડાવાનું વિચાર્યું નહોતું. તેમની પત્ની સ્વરૂપ સંપતે પણ કહ્યું હતું કે- તેઓ મ્યુનિસિપલ ચૂંટણી પણ જીતી શકે એમ નથી. પરેશ રાવલ આજે 70 વર્ષના થયા, ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... 'મને બાળપણથી જ થિયેટર પ્રત્યે ઝુકાવ હતો' 30 મે 1955ના રોજ મુંબઈના એક મધ્યમવર્ગના ગુજરાતી પરિવારમાં જન્મેલા પરેશ રાવલ બાળપણથી જ રંગભૂમિ તરફ ઝુકાવ ધરાવતા હતા. તેઓ એક્ટર બનવા માગતા હતા. તેમના પિતા દહ્યાલ રાવલ એક ઉદ્યોગપતિ હતા. તેમણે ક્યારેય પરેશને એક્ટિંગ માટે રોક્યા નથી. પરેશ રાવલ તેમના ભણતરના દિવસોથી જ નાટકોમાં ભાગ લેતા હતા. 15 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર નાટકમાં કામ કરવાની તક મળી. 'હું સ્વરૂપને થિયેટરના સમય દરમિયાન મળ્યો હતો' પરેશ રાવલ થિયેટરમાં કામ કરતી વખતે સ્વરૂપ (પરેશ રાવલનાં પત્ની)ને મળ્યા હતા. 1975માં બંને કોલેજમાં સાથે હતાં. સ્વરૂપ પરેશ રાવલનું સ્ટેજ પર્ફોર્મન્સ જોઈને તેમનાં ફેન બની ગયાં. તેઓ એટલાં ઉત્સાહિત હતાં કે શો પૂરો થતાં જ તેઓ બેકસ્ટેજ પર ગયાં અને પરેશનું નામ અને કામ વિશે પૂછવા લાગ્યાં. તેમના અભિનયનાં વખાણ કર્યાં. પરેશ અને સ્વરૂપ વચ્ચેની આ ટૂંકી મુલાકાતે તેમને એકબીજાના ખૂબ સારા મિત્રો બનાવી દીધા. પછી બંનેને મિત્રતામાંથી પ્રેમમાં પરિવર્તિત થતાં વધુ સમય ન લાગ્યો. 'મને પહેલી નજરમાં જ સ્વરૂપ સાથે પ્રેમ થઈ ગયો હતો' એક ઇન્ટરવ્યૂ દરમિયાન પરેશ રાવલે એક રસપ્રદ પ્રેમ કહાની શેર કરી. એક્ટરે કહ્યું હતું કે સ્વરૂપને પહેલીવાર જોઈને જ તેમના પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે મેં આ વાત મારા મિત્ર મહેન્દ્ર જોશીને કહી ત્યારે તેમણે કહ્યું કે- શું તને ખબર છે કે તું જે કંપનીમાં કામ કરે છે તેના બોસની દીકરી છે. મેં કહ્યું કે- ભલે તે કોઈની દીકરી હોય, બહેન હોય કે માતા હોય, હું તેની સાથે લગ્ન કરીશ. 'ઝાડ નીચે સાત ફેરા લીધા' ધીમે ધીમે વાત લગ્ન સુધી પહોંચી ગઈ, પરંતુ એક સમસ્યા એ હતી કે ઘણા લોકોને બંને વચ્ચેના સંબંધ વિશે ખબર નહોતી. એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલની પત્ની સ્વરૂપે કહ્યું હતું કે- લોકોને આ વાતની ખબર ન પડે એ માટે, અમે મુંબઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં એક ઝાડ નીચે સાત ફેરા લીધા, કારણ કે મંદિરમાં કોઈ મંડપ નહોતો. આ સમય દરમિયાન 9 પંડિત મંગલ મંત્રનો જાપ કરી રહ્યા હતા. 'ત્રણ દિવસમાં બેંકની નોકરી છોડી દીધી' થિયેટરમાં કામ કરતી વખતે પરેશ રાવલ માટે ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. તેથી તેમણે બેંક ઓફ બરોડામાં નોકરી સ્વીકારી. પરેશ રાવલને થિયેટર પ્રત્યે એટલો બધો લગાવ હતો કે તેઓ બેંકની નોકરીથી કંટાળી ગયા હતા. બેંકની નોકરી છોડ્યા પછી જ્યારે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ તેમની ગર્લફ્રેન્ડ સ્વરૂપ સંપત પાસેથી પૈસા ઉધાર લઈને ગુજરાન ચલાવતા હતા. આ વાત પરેશે અનુપમ ખેરના શોમાં જણાવી હતી. તમને જણાવી દઈએ કે- સ્વરૂપ એક એક્ટ્રેસ રહી છે. એટલું જ નહીં, તેમને 1979માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ગુજરાતી ફિલ્મથી કરી કારકિર્દીની શરૂઆત પરેશ રાવલે 1982માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'નસીબ ની બલિહારી'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 1984માં ડિરેક્ટર કેતન મહેતાની ફિલ્મ 'હોલી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મના નામની જેમ, પરેશ રાવલના ફિલ્મી કરિયરના કેનવાસમાં પણ ઘણા રંગોનાં પાત્રો સામેલ છે. ગુજરાતી અને હિન્દી ઉપરાંત પરેશ રાવલે મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં પણ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે, પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ 'હેરા ફેરી'માં 'બાબુરાવ'ના પાત્રથી મળી. 'હેરા ફેરી'નું પાત્ર ફાંસીનો ફંદો બની ગયું ફિલ્મ 'હેરા ફેરી' સિરીઝમાં પરેશ રાવલના પાત્ર 'બાબુરાવ'ને ખૂબ પ્રશંસા મળી. આજે પણ આ પાત્રની ખૂબ ચર્ચા થાય છે, પરંતુ હવે આ પાત્ર પરેશ માટે ફાંસીનો ફંદો બની ગયું છે. તેમણે 'લલ્લાન્ટોપ' સાથેની મુલાકાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના કામની પ્રશંસા થાય છે, પરંતુ એ તેમના માટે ફાંસીના ફંદા સમાન છે. તેમણે જુદા જુદા ડિરેક્ટરનો સંપર્ક કર્યો હતો અને તેમને 'બાબુરાવ'ના પાત્રનો ઉપયોગ કરીને બીજી ફિલ્મ બનાવવા અને દર્શકો સમક્ષ એક અલગ વાર્તા રજૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ એવું બન્યું નહીં. 'બાબુરાવ'ના પાત્રથી મને ગૂંગળામણ થઈ રહી છે એક્ટરે કહ્યું હતું- બાબુરાવનું પાત્ર મારા ફાંસીનો ફંદો બની ગયું છે. બધા મને 'હેરા ફેરી' જેવા રોલમાં કાસ્ટ કરવા માગતા હતા. આ પાત્રમાં મને ગૂંગળામણ થતી હતી. પછી હું 2007માં 'હેરા ફેરી' ફિલ્મની રજૂઆત પછી વિશાલ ભારદ્વાજ પાસે ગયો. તેણે કહ્યું કે 'ડાન્સર ઇન ધ ડાર્ક' ફિલ્મ છે. એ ખૂબ જ દુ:ખદ સ્ટોરી છે. એમાં રહેલી છોકરી જાડાં ચશ્માં પહેરે છે અને બિલકુલ 'બાબુરાવ'ની દીકરી જેવી દેખાય છે. મેં કહ્યું કે- મને આ ગેટઅપમાં બીજું પાત્ર જોઈએ છે. તેમણે કહ્યું કે- હું રિમેક નથી બનાવતો. આ સિક્વલ 'લગે રહો મુન્નાભાઈ' જેવી હોવી જોઈએ પરેશે આગળ કહ્યું- હું 2022માં આર બાલ્કી પાસે ગયો હતો. મેં કહ્યું કે મને આ ગેટઅપમાં બીજું પાત્ર આપો, મને આ પાત્રમાં ગૂંગળામણ થાય છે. જ્યારે તમે એક પછી એક સિક્વલ બનાવો છો, ત્યારે તમે ફરીથી એ જ વસ્તુ બતાવો છો. સિક્વલ ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી હોવી જોઈએ. 'હેરા ફેરી'ના 'બાબુરાવ' 500 કરોડ રૂપિયાની ગુડવિલ ધરાવતું પાત્ર છે. તેની સાથે ઉડાન ભરી શકાય હોત, ત્યાં પણ કંઈ કામ ન બન્યું. 'મુન્નાભાઈ MBBS' ફિલ્મ કેમ છોડી? પરેશ રાવલ ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ'માં ડૉ. અસ્થાનાની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ તેમણે ફિલ્મ છોડી દીધી. બાદમાં આ પાત્ર બોમન ઈરાનીએ ભજવ્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન 'મુન્નાભાઈ MBBS' સાથે સંબંધિત એક કિસ્સો શેર કરતી વખતે પરેશ રાવલે કહ્યું હતું કે વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ માટે તેમનો સંપર્ક કર્યો હતો. જ્યારે ફીનો મામલો આવ્યો ત્યારે મેં 15 લાખ રૂપિયાની માગણી કરી. 'હું એક રૂપિયામાં પણ ફિલ્મ કરી શકું છું' વિધુ વિનોદ ચોપરાએ ઘમંડી સ્વરે કહ્યું, હું તમને 15 લાખ રૂપિયા આપીશ? મને ગુસ્સો આવ્યો. વાત પૈસાની નહોતી. વિધુ વિનોદ ચોપરાએ જે રીતે કહ્યું એનાથી વાંધો હતો. મને એ વાતનું ખૂબ ખરાબ લાગ્યું. જો કોઈ મારા ખભા પર હાથ મૂકીને નમ્રતાથી પૂછે, તો હું 1 રૂપિયામાં પણ ફિલ્મ કરીશ. નહીંતર હું કરોડોમાં પણ કામ નહીં કરું. 15 દિવસ યુરિન પીધા પછી સાજો થઈ ગયો 'ધ લલ્લાન્ટોપ' સાથેના એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે યુરિન પીવા સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો. એક્ટરે કહ્યું હતું કે રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ઘાતક'ના શૂટિંગ દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેમની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. એ જ સમયે વીરુ દેવગન પણ કોઈને મળવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યારે તેમને મારા વિશે ખબર પડી ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને પૂછ્યું કે શું થયું? મેં તેમને મારા પગની ઈજા વિશે કહ્યું. તેમણે મને સવારે ઊઠીને સૌથી પહેલા મારો યુરિન પીવાની સલાહ આપી. તેમણે કહ્યું કે બધા લડવૈયાઓ આવું કરે છે. તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. તેમણે મને દારૂ, મટન કે તમાકુ ન ખાવાનું કહ્યું, જે મેં બંધ કરી દીધું. પછી મેં સવારે યુરિન પીવાનું શરૂ કર્યું, બિયરની જેમ થોડી થોડી શિપમાં પીવાથી ફાયદો થાય છે. 15 દિવસ સુધી આવું કર્યા પછી જ્યારે એક્સ-રે રિપોર્ટ આવ્યો ત્યારે ડોકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉક્ટરે એક્સ-રેમાં સફેદ લાઈનિંગ જોઈ, જે દર્શાવતું હતું કે હું સાજો થઈ ગયો છો. જ્યારે ઈજાને સાજા થવામાં સામાન્ય રીતે બેથી અઢી મહિનાનો સમય લાગે છે. મને લાગ્યું કે- નરેન્દ્ર મોદી પીએમ બની શકે છે, તેથી મેં રાજકારણમાં એન્ટ્રી કરી પરેશ રાવલે 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી 3 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. એક્ટરે તેમની રાજકીય કારકિર્દી વિશે વાત કરી. વ્યભિચારની આદત પાડવી તેમણે કહ્યું- સાંસદ બન્યા પછી મને બંગલો આપવામાં આવ્યો હતો, પણ મેં ના પાડી દીધી. હું મુંબઈમાં એક ફ્લેટમાં રહું છું. મારી પાસે બંગલા જેવી માનસિકતા નથી. જો તમને બંગલાની આદત પડી જશે તો તમને બીજીવાર ચૂંટણી લડવાનું મન થશે. હું એને બંગલામાં છોડી શકીશ નહીં, કારણ કે અઢીથી ત્રણ એકરમાં ફેલાયેલો 7-8 રૂમનો બંગલો, આ હરિયાળી... આ વ્યભિચારની આદત પડી જાય છે. 'નસીર-આમિર અને શાહરુખનો કોઈ સ્વાર્થી એજન્ડા નથી હોતો' નસીરુદ્દીન શાહ ભાજપ સરકારના, ખાસ કરીને મુસ્લિમો સામેના ભેદભાવના મુદ્દા પર, એક મોટા ટીકાકાર રહ્યા છે. પરેશ રાવલ નસીરુદ્દીન શાહને પોતાના આદર્શ માને છે. પરેશ રાવલને એ વાતથી જરા પણ ફરક પડતો નથી કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેમના સાથીદારો સરકારની ટીકા કરે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow