ટંકારા જુગાર કૌભાંડમાં 175 દિવસથી ફરાર PI ઝડપાયો:પીઆઇ વાય. કે. ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, PI - હેડ કોન્સ્ટેબલ સામે 51 લાખના તોડ અંગે ફરિયાદ નોંધાઈ હતી

મોરબી ટંકારાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ બાદ કરવામાં આવેલ 51 લાખ રૂપિયાના તોડના ગુનામાં તત્કાલિન પીઆઇની ધરપકડ કરવામાં આવી હતી. તેને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ કરેલ તોડની રકમની રિકવરી સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે લાંચ લીધી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. SMCએ તપાસ ચલાવી જે અંગેની ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલ રજૂઆતો બાદ આ અંગેની તપાસ SMCને સોંપવામાં આવી હતી. તે તપાસના અંતે પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયેલ છે. જેમાં મહિપતસિંહ સોલંકીને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઇ વાય.કે.ગોહિલની આદિપુરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર આજે તપાસનીસ અધિકારી Dysp વી.વી.રબારીએ આરોપી પીઆઈના 10 દિવસના રિમાન્ડની માગણી સાથે તેને મોરબીની કોર્ટમાં રજૂ કરેલ, ત્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલા દિવસથી આરોપી ફરાર હતો ? ઉલેખનીય છે કે, ગત ડિસેમ્બર માહિનામાં SMCના અધિકારી પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવેલ જો કે, તે મળી નહીં આવતા આરોપી પીઆઇ લાંબા સમયથી ફરાર હોય તેને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો હતો. જો કે, તે સમય મર્યાદામાં ત્યાં હાજર થયેલ ન હતા. આદિપુર ખાતેના ઘરેથી જ તેની ધરપકડ SMCની ટીમે ચોકકસ બાતમીના આધારે આદિપુર ખાતે તેના ઘરેથી જ તેની ધરપકડ કરેલ છે. છેલ્લા 175 દિવસથી નાસતા ફરતા પી.આઈ. વાય.કે. ગોહિલની કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે. જો કે, આટલા સમય દરમ્યાન તે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આશરો આપનારની તપાસ થશે. તેને કોને આશરો આપ્યો હતો. તે દિશામાં તપાસ કરશે તેમજ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવશે. આટલું જ નહીં પરંતુ જુગારની રેડ બાદ કરવામાં આવેલ તોડની રકમ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની પણ કાર્યવાહી તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા કરવામાં આવશે. કયા કરવામાં આવી હતી રેડ ? ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે ડ્રાઈવર સહિત કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવેલ હતા જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાનો સમાવેશ થતો હતો અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા નામના શખ્સને પકડવાનો બાકી બતાવેલ હતો.

Jun 6, 2025 - 20:21
 0
ટંકારા જુગાર કૌભાંડમાં 175 દિવસથી ફરાર PI ઝડપાયો:પીઆઇ વાય. કે. ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, PI - હેડ કોન્સ્ટેબલ સામે 51 લાખના તોડ અંગે ફરિયાદ નોંધાઈ હતી
મોરબી ટંકારાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ બાદ કરવામાં આવેલ 51 લાખ રૂપિયાના તોડના ગુનામાં તત્કાલિન પીઆઇની ધરપકડ કરવામાં આવી હતી. તેને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે આજે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ કરેલ તોડની રકમની રિકવરી સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે લાંચ લીધી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. SMCએ તપાસ ચલાવી જે અંગેની ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલ રજૂઆતો બાદ આ અંગેની તપાસ SMCને સોંપવામાં આવી હતી. તે તપાસના અંતે પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયેલ છે. જેમાં મહિપતસિંહ સોલંકીને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં પીઆઇ વાય.કે.ગોહિલની આદિપુરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર આજે તપાસનીસ અધિકારી Dysp વી.વી.રબારીએ આરોપી પીઆઈના 10 દિવસના રિમાન્ડની માગણી સાથે તેને મોરબીની કોર્ટમાં રજૂ કરેલ, ત્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કેટલા દિવસથી આરોપી ફરાર હતો ? ઉલેખનીય છે કે, ગત ડિસેમ્બર માહિનામાં SMCના અધિકારી પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવેલ જો કે, તે મળી નહીં આવતા આરોપી પીઆઇ લાંબા સમયથી ફરાર હોય તેને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો હતો. જો કે, તે સમય મર્યાદામાં ત્યાં હાજર થયેલ ન હતા. આદિપુર ખાતેના ઘરેથી જ તેની ધરપકડ SMCની ટીમે ચોકકસ બાતમીના આધારે આદિપુર ખાતે તેના ઘરેથી જ તેની ધરપકડ કરેલ છે. છેલ્લા 175 દિવસથી નાસતા ફરતા પી.આઈ. વાય.કે. ગોહિલની કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે. જો કે, આટલા સમય દરમ્યાન તે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આશરો આપનારની તપાસ થશે. તેને કોને આશરો આપ્યો હતો. તે દિશામાં તપાસ કરશે તેમજ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવશે. આટલું જ નહીં પરંતુ જુગારની રેડ બાદ કરવામાં આવેલ તોડની રકમ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની પણ કાર્યવાહી તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા કરવામાં આવશે. કયા કરવામાં આવી હતી રેડ ? ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે ડ્રાઈવર સહિત કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવેલ હતા જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાનો સમાવેશ થતો હતો અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા નામના શખ્સને પકડવાનો બાકી બતાવેલ હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow